Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : No one has the right to point fingers at Kohli's religious faith: Shami

VIDEO: કોહલીની ધાર્મિક આસ્થા સામે આંગળી ચીંધવાનો કોઈને હક નથી: શમી

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીએ વિરાટ કોહલીની ધાર્મિક આસ્થા અને આધ્યાત્મિક જીવન અંગે ખુલ્લીને પોતાનો મત રજૂ કર્યો છે. હાલમાં વિરાટ કોહલી અને તેમના પત્ની અનુષ્કા શર્માના વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજ સહિત વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા અંગે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ છેડાઈ છે. હવે શમીએ આ ટીકાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. શમીએ કહ્યું કે વિરાટ કોહલીનો આધ્યાત્મિક ઝુકાવ કોઈ નવી વાત નથી. કોહલી હંમેશા પોતાની આસ્થાને ગંભીરતાથી લેતા આવ્યા છે અને જે બાબતમાં વિશ્વાસ રાખે છે, તેને પૂરી પ્રામાણિકતા અને શિસ્ત સાથે નિભાવે છે. શમીએ કહ્યું કે કોઈ વ્યક્તિના વિશ્વાસ કે ધાર્મિક આસ્થા પર સવાલ ઉઠાવવાનું કોઈ કારણ હોવું જોઈએ નહીં. જો કોઈ પોતાના ધર્મ અને આધ્યાત્મિક વિચારોને મહત્વ આપે છે, તો તે સંપૂર્ણપણે તેનો વ્યક્તિગત નિર્ણય છે. શમીએ કહ્યું કે, જો પતિ-પત્ની એકબીજા સાથે ધાર્મિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે, તો તેમાં ખોટું શું છે. તેમના મતે આ સંપૂર્ણપણે તેમનો અંગત મામલો છે અને બીજા કોઈને તેનાથી પરેશાની હોવી જોઈએ નહીં.

App Store