Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Nazrul changes statement again after blaming Bangladeshi players for T20 World Cup boycott

વધુ એક યુ-ટર્ન... T20 વર્લ્ડ કપના બોયકોટનો દોષ બાંગ્લાદેશી ખેલાડીઓને આપ્યા બાદ આસિફ નઝરુલે ફરી બદલ્યું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 12 Feb 2026
લાઇવ ટીવીGoogle News
વધુ એક યુ-ટર્ન... T20 વર્લ્ડ કપના બોયકોટનો દોષ બાંગ્લાદેશી ખેલાડીઓને આપ્યા બાદ આસિફ નઝરુલે ફરી બદલ્યું નિવેદન
સોર્સ : GSTV

બાંગ્લાદેશ હવે T20 વર્લ્ડ કપ 2026નો બહિષ્કાર કરવાના પોતાના નિર્ણય પર પછતાઈ રહ્યું છે. આ જ કારણ છે કે બહિષ્કારનો સમર્થન કરનાર બાંગ્લાદેશના સ્પોર્ટ્સ એડવાઈઝર આસિફ નઝરુલે એવું કહેવું પડ્યું કે તે તેમનો નહીં પરંતુ BCB અને ખેલાડીઓનો નિર્ણય હતો. તેમણે મંગળવારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભારતમાં વર્લ્ડ કપ ન રમવાનો નિર્ણય ખેલાડીઓ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો હતો. જોકે, બાંગ્લાદેશ સરકારે અગાઉ કહ્યું હતું કે સુરક્ષા ચિંતાઓને કારણે સરકારે ભારતમાં ન રમવાનો નિર્ણય લીધો હતો તે પછી તેમને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ટીકાનો સામનો કર્યા બાદ આસિફે ફરી એકવાર પોતાનું નિવેદન બદલ્યું છે.

App Store

મંગળવારે T20 વર્લ્ડ કપ 2026ના બહિષ્કાર માટે ખેલાડીઓને દોષી ઠેરવનારા આસિફ નઝરુલે બુધવારે કહ્યું કે તેઓ પોતાનો મુદ્દો સ્પષ્ટ રીતે સમજાવવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે કહ્યું, "ફરી એકવાર હું સ્પષ્ટપણે કહું છું કે T20 વર્લ્ડ કપ 2026માં ન રમવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો."

નઝરુલે જણાવ્યું હતું કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના કાર્યક્રમ પછી પત્રકારો સાથેની અચાનક વાતચીતમાં તેમણે જે કહ્યું હતું તેને ખોટી રીતે સમજવામાં આવ્યું હતું. તેમના મતે પૂછવામાં આવેલ પ્રશ્ન એ હતો કે શું તેમને ન રમવાનો અફસોસ છે, નિર્ણય કોણે લીધો તેનો નહીં.

નઝરુલે જણાવ્યું હતું કે બાંગ્લાદેશ સરકારે જાન્યુઆરીની શરૂઆતમાં સુરક્ષા ચિંતાઓને કારણે ક્રિકેટ ટીમને ભારત ન મોકલવાનો નિર્ણય લીધો હતો. તેમણે અગાઉના અનેક નિવેદનોમાં આ સ્પષ્ટ કર્યું હતું.

નઝરુલના નિવેદનથી વિવાદ થયો હતો

નઝરુલના નિવેદનનો સ્પષ્ટ અર્થ એ હતો કે બાંગ્લાદેશ સરકાર T20 વર્લ્ડ કપ 2026માંથી ખસી જવા માટે BCB અને ખેલાડીઓને દોષી ઠેરવી રહી છે, કારણ કે તેમણે કહ્યું હતું કે આ નિર્ણય તેમનો અને બોર્ડનો છે. તેમણે 10 ફેબ્રુઆરીના રોજ BCBના કાર્યક્રમ પછી પત્રકારો સાથેની વાતચીતમાં આ નિવેદન આપ્યું હતું. આનાથી વિવાદ થયો, પરંતુ નઝરુલે પછી  યુ-ટર્ન લીધો અને કહ્યું કે તેમના નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું હતું. તેમણે સરકારના નિર્ણયને સ્વીકારતા કહ્યું, "નિર્ણયને વળગી રહેવાનો મુખ્ય શ્રેય તેમને જાય છે."