IND vs SL / પ્રથમ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું, કેપ્ટન શુભમન ગિલને પહોંચી ઈજા

ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયાને એક એવી ક્ષણનો સામનો કરવો પડ્યો જેણે ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ માટે ચિંતા વધારી દીધી. કેપ્ટન શુભમન ગિલને કોલંબોમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન અંગૂઠા પર બોલ વાગ્યો હતો. ઈજા થતાં, તેને નેટ છોડીને મેડિકલ સ્ટાફ પાસે જવું પડ્યું.
ભારતીય ટીમ 4 ઓગસ્ટે શ્રીલંકા પહોંચી હતી. ખેલાડીઓએ બીજા દિવસે પ્રેક્ટિસ શરૂ કરી હતી, અને ગુરુવારે (6 ઓગસ્ટ) ટીમે ટેસ્ટ સિરીઝ માટે જોરશોરથી તૈયારી ચાલુ રાખી હતી. આ સમય દરમિયાન, ફાસ્ટ બોલર્સનો સામનો કરતી વખતે શુભમન ગિલને અંગૂઠા પર બોલ વાગ્યો હતો.
ઈજા બાદ ગિલની તાત્કાલિક તબીબી સ્ટાફ દ્વારા સારવાર કરવામાં આવી હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર, ભારતીય કેપ્ટન સારવાર પછી નેટ્સ પર પાછો ફર્યો અને બેટિંગ ચાલુ રાખી, જે ટીમ મેનેજમેન્ટ માટે રાહત છે. આ સમયે ઈજા ગંભીર નથી માનવામાં આવતી.
કેચિંગ પ્રેક્ટિસ દરમિયાન તેને બીજી ઈજા થઈ હતી. સ્લિપમાં કેચિંગ પ્રેક્ટિસ કરતી વખતે, બોલ ફરીથી તેના જમણા હાથમાં વાગ્યો હતો. ફિઝિયોએ બરફનો પેક લગાવ્યો.
ટીમ ઈન્ડિયા શુક્રવાર (7 ઓગસ્ટ) થી સ્થાનિક શ્રીલંકન XI સામે ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચ રમશે. ટીમ મેનેજમેન્ટ કોઈપણ ખેલાડી સાથે કોઈપણ જોખમ લેવા નહીં માંગે, ખાસ કરીને ટીમ પહેલાથી જ ઈજાની સમસ્યાઓનો સામનો કરી રહી છે તે જોતાં.
ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. મોહમ્મદ સિરાજ તેની જગ્યાએ ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ દરમિયાન થયેલી હેમસ્ટ્રિંગ ઈજામાંથી સ્વસ્થ નથી થયો અને આ પ્રવાસ માટે ઉપલબ્ધ નથી.
વારંવાર થતી ઈજાઓએ ભારતના ફાસ્ટ બોલિંગ વિભાગમાં પણ ચિંતા ઉભી કરી છે. હર્ષિત રાણા પહેલાથી જ બહાર છે, જ્યારે ટીમ નવા સંયોજન સાથે શ્રીલંકાનો પ્રવાસ કરશે.
શુભમન ગિલ માટે પણ છેલ્લા કેટલાક વર્ષો સરળ રહ્યા નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેને અંગૂઠામાં ઈજા થઈ હતી, જેના કારણે તે સિરીઝના કેટલાક ભાગમાંથી બહાર થઈ ગયો હતો. વધુમાં, 2024માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. બર્મિંઘમમાં ઈંગ્લેન્ડમાં ત્રણ મેચની ODI સિરીઝ દરમિયાન તે રિટાયર્ડ હર્ટ થઈ ગયો. તે 80 રન સાથે પાછો ફર્યો હતો, જોકે તેણે ઐરીઝની બાકીની મેચો પછી રમી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી ટેસ્ટ 15 ઓગસ્ટથી ગોલમાં રમાશે. તે પહેલાંની વોર્મઅપ મેચ ખેલાડીઓને સ્થાનિક પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધવાની અંતિમ તક પૂરી પાડશે.
શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિષભ પંત (વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ, સાઈ સુદર્શન (ફિટનેસ ક્લિયરન્સને આધીન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, આકિબ નબી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બરાર અને સારાંશ જૈન.
ભારતના શ્રીલંકા પ્રવાસનો સંપૂર્ણ શેડ્યૂલ
7-9 ઓગસ્ટ: પ્રેક્ટિસ મેચ, કોલંબો, સવારે 10:00 વાગ્યાથી
15-19 ઓગસ્ટ: પહેલી ટેસ્ટ, ગાલે, સવારે 10:00 વાગ્યાથી
23-27 ઓગસ્ટ: બીજી ટેસ્ટ, કોલંબો, સવારે 10:00 વાગ્યાથી

