Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : This kund is a witness to the unwavering faith of devotee Prahlad

ભક્ત પ્રહલાદની અતૂટ શ્રદ્ધાનો સાક્ષી છે આ કુંડ, આજે પણ અનુભવાય છે અલૌકિક શક્તિ

Timeછેલ્લું અપડેટ : 28 Feb 2026
લાઇવ ટીવીGoogle News
ભક્ત પ્રહલાદની અતૂટ શ્રદ્ધાનો સાક્ષી છે આ કુંડ, આજે પણ અનુભવાય છે અલૌકિક શક્તિ
સોર્સ : AI IMAGE

હોળીના આગલા દિવસે હોલિકા દહનનું વિશેષ મહત્વ છે. આ દિવસ નકારાત્મકતા, પીડા અને રોગના અંતનું પ્રતીક માનવામાં આવે છે. તે અધર્મ પર ધર્મના વિજયનું અને ભક્ત પ્રહલાદની અતૂટ ભક્તિનો જીવંત પુરાવો છે.  ઉત્તર પ્રદેશમાં આજે પણ એ સ્થળ અસ્તિત્વમાં છે જ્યાં હોલિકાએ ભક્ત પ્રહલાદને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઐતિહાસિક અને પૌરાણિક ઘટનાના સાક્ષી સમાન આ સ્થળને 'પ્રહલાદ કુંડ' તરીકે ઓળખવામાં આવે છે.

App Store

ક્યાં આવેલો છે આ પ્રહલાદ કુંડ?

ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર, હરદોઈમાં આવેલો પ્રહલાદ કુંડ એ જ પવિત્ર સ્થળ છે જ્યાં આ ચમત્કાર થયો હતો. અહીંનું સરોવર આજે પણ દૈવી શક્તિની યાદ અપાવે છે. પ્રહલાદ કુંડ હરદોઈ શહેરથી થોડે જ દૂર સ્થિત છે, જ્યાં સરળતાથી પહોંચી શકાય છે.

ભગવાન નરસિંહની પૂજાનું મહત્વ

પ્રહલાદ કુંડ પાસે એક નાનું મંદિર આવેલું છે, જ્યાં ભક્ત પ્રહલાદ અને ભગવાન નરસિંહની પૂજા કરવામાં આવે છે. હોલિકા દહનના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. તેઓ હોલિકા દહન કરીને પ્રહલાદની અતૂટ ભક્તિમાંથી પ્રેરણા લે છે.

અલૌકિક શક્તિનો અનુભવ

આ કુંડ માત્ર ધાર્મિક મહત્વ જ નથી ધરાવતો, પરંતુ તે લોકોને શીખવે છે કે સાચી ભક્તિ અને શ્રદ્ધા કોઈપણ અવરોધને દૂર કરી શકે છે. એવી માન્યતા છે કે જે ભક્તો પ્રહલાદ કુંડની મુલાકાત લે છે, તેમને એક દૈવી શક્તિનો અનુભવ થાય છે અને તેમના કષ્ટોનું નિવારણ આવે છે.

હોલિકા દહનની પૌરાણિક કથા

પુરાણો અનુસાર, રાક્ષસરાજ હિરણ્યકશ્યપ ભગવાન વિષ્ણુનો પરમ શત્રુ હતો. તે પોતાને જ ભગવાન માનતો હતો અને પ્રજાને પોતાની પૂજા કરવા મજબૂર કરતો હતો. પરંતુ તેનો પુત્ર પ્રહલાદ બાળપણથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો.

પુત્રની આ ભક્તિ જોઈ હિરણ્યકશ્યપ ક્રોધિત થયો. તેણે પ્રહલાદને મારવાના અનેક પ્રયત્નો કર્યા, પરંતુ ભગવાનની કૃપાથી પ્રહલાદ દર વખતે સુરક્ષિત રહ્યો. અંતે, હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકાની મદદ લીધી. હોલિકા પાસે એક એવું વસ્ત્ર (અથવા વરદાન) હતું, જેને ધારણ કરવાથી તે અગ્નિમાં બળતી નહોતી. હિરણ્યકશ્યપના આદેશથી હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસી ગઈ.

પરંતુ, વિધિના વિધાન મુજબ ભક્તિનો વિજય થયો. ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ સુરક્ષિત રહ્યો અને વરદાન હોવા છતાં હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગઈ. આ ઘટના બાદ લોકોએ રંગો ઉડાડી અને ઉત્સવ મનાવી આ વિજયને વધાવ્યો, જે પરંપરા આજે પણ 'હોળી' તરીકે ઉજવાય છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.