જન્માષ્ટમીમાં કાન્હાની પૂજા માટે મળશે આટલા મિનિટનું શુભ મુહૂર્ત, જાણો પારણાના સમય

કૃષ્ણ જન્માષ્ટમી હિન્દુ ધર્મનો ખૂબ જ પાવન પર્વ છે, જે ભગવાન કૃષ્ણના જન્મોત્સવ તરીકે ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. દર વર્ષે આ તહેવાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે રોહિણી નક્ષત્રમાં ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો.
ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી 2025?
અષ્ટમી તિથિની શરૂઆત 15 ઓગસ્ટ 2025ના રોજ રાત્રે 11:49 વાગ્યે થશે અને 16 ઓગસ્ટ 2025ના રોજ રાત્રે 09:34 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં દ્રિક પંચાંગ પ્રમાણે આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી 16 ઓગસ્ટ 2025ના રોજ ઉજવવામાં આવશે. આ ભગવાન કૃષ્ણની 5252મી જન્મજયંતિ હશે.
પૂજા મુહૂર્ત
આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી પર પૂજાનું શુભ મુહૂર્ત મોડી રાત્રે 12:04થી 12:47 સુધી રહેશે. આવી સ્થિતિમાં પૂજાનું શુભ મુહૂર્ત કુલ 43 મિનિટ રહેશે. ચંદ્રોદય 16 ઓગસ્ટના રોજ રાત્રે 11:32 વાગ્યે થશે. બીજી તરફ રોહિણી નક્ષત્રની શરૂઆત 17 ઓગસ્ટ 2025ના રોજ સવારે 04:38 વાગ્યે થશે અને 18 ઓગસ્ટ 2025ના રોજ સવારે 03:17 વાગ્યે સમાપ્ત થશે.
વ્રત પારણાનો સમય
પંચાંગ પ્રમાણે આ વર્ષે વ્રત પારણા 17 ઓગસ્ટના રોજ સવારે 5:51 વાગ્યે કરી શકાશે. જન્માષ્ટમીના દિવસે ભક્તો નિર્જળ અથવા ફળાહાર વ્રત રાખે છે. આ દિવસે પૂજામાં તુલસી, માખણ-ખાંડ, ધૂપ અને પંચામૃતનું વિશેષ મહત્વ હોય છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

