Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : These 8 Vastu Doshas increase unrest and tension in the home! Know the remedies

ઘરમાં અશાંતિ અને તણાવ વધારે છે આ 8 વાસ્તુદોષ! જાણો ઉપાયો

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
ઘરમાં અશાંતિ અને તણાવ વધારે છે આ 8 વાસ્તુદોષ! જાણો ઉપાયો
સોર્સ : gstv

ઘણીવાર યોગ્ય આહાર, સારા વાતાવરણ અને બધી સુખ-સુવિધાઓ હોવા છતાં ઘરમાં એક વિચિત્ર ભારેપણું અનુભવાય છે. નાની-નાની વાતો પર તણાવ, પરિવારના સભ્યોમાં સુસ્તી અને સતત બેચેની રહેવી એ ઘરમાં નકારાત્મક ઊર્જા હોવાના સંકેતો છે.

App Store

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં વેરવિખેર કે ખોટી જગ્યાએ રાખવામાં આવેલી કેટલીક સામાન્ય વસ્તુઓ જ આ વાસ્તુદોષનું કારણ બને છે. ચાલો જાણીએ આવી ૮ વસ્તુઓ અને તેને દૂર કરવાના ઉપાયો:

આડેધડ પડેલી દવાઓ

વાસ્તુદોષ: ડાઇનિંગ ટેબલ કે ઘરમાં ગમે ત્યાં વિખરાયેલી દવાઓ રાખવાથી બીમારીઓ અને મુશ્કેલીઓ લંબાય છે. આનાથી ઘરની ઊર્જા સતત રોગ અને નકારાત્મકતા તરફ વળે છે.

ઉપાય: દવાઓને હંમેશાં એક નિયત જગ્યાએ અથવા ફર્સ્ટ-એડ બોક્સમાં જ બંધ કરીને રાખો.

એસિડ અને ટોયલેટ ક્લીનર

વાસ્તુદોષ: એસિડ અને ટોયલેટ ક્લીનર જેવી વસ્તુઓ ખુલ્લામાં કે ખોટી જગ્યાએ રાખવાથી રાહુ-કેતુનો નકારાત્મક પ્રભાવ વધે છે. આ વસ્તુઓ ઘરની સકારાત્મક ઊર્જા ઝડપથી ઘટાડે છે અને માનસિક અશાંતિનું કારણ બને છે.

ઉપાય: આ કેમિકલ્સને હંમેશા રસોડા અને મુખ્ય વપરાશના વિસ્તારોથી દૂર, બંધ કબાટ કે ચોક્કસ જગ્યાએ રાખો.

 ફિનાઇલ અને ક્લીનર્સની તીવ્ર ગંધ

વાસ્તુદોષ: ફિનાઇલ કે ફ્લોર ક્લીનર્સની અતિશય તીવ્ર ગંધ ઘરમાં અસ્થિરતા અને માનસિક તણાવ ઊભો કરે છે. તેનાથી પરિવારના સભ્યોમાં ચીડિયાપણું અને મનભેદ વધે છે.

ઉપાય: ઉપયોગ કર્યા પછી આ પ્રોડક્ટ્સને તરત જ ઢાંકીને તેમની યોગ્ય જગ્યાએ મૂકી દો.

જંતુનાશકો અને ઝેરી રસાયણો

વાસ્તુદોષ: વાંદાં, ઉંદર કે મચ્છર ભગાડવાના રસાયણો ખુલ્લામાં રાખવાથી ઘરમાં ભય અને માનસિક અસ્વસ્થતાનું વાતાવરણ રહે છે.

ઉપાય: તેને બાળકોની પહોંચથી દૂર, એર-ટાઇટ કન્ટેનરમાં રાખીને ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં સંગ્રહિત કરો.

ખૂબ તેજસ્વી અથવા ઝબકતી (ફ્લિકરિંગ) લાઇટો

વાસ્તુદોષ: ખૂબ જ અતિશય તેજ કે ઝબૂકતી લાઇટો અગ્નિ તત્વનું અસંતુલન ઊભું કરે છે. આનાથી ઘરમાં રહેતા લોકોમાં આક્રમકતા, ક્રોધ, માથાનો દુખાવો અને અનિદ્રા જેવી સમસ્યાઓ થાય છે.

ઉપાય: ઘરમાં સોફ્ટ, શાંત અને સંતુલિત પ્રકાશ જાળવો. ખરાબ બલ્બ તરત બદલી નાખો.

 કૃત્રિમ એર ફ્રેશનર્સ

વાસ્તુદોષ: રાસાયણિક એર ફ્રેશનર્સનો ઉપયોગ કરવાથી ઘરની કુદરતી ઊર્જા વિક્ષેપિત થાય છે. કૃત્રિમ સુગંધ મૂંઝવણ અને આળસ પેદા કરે છે, જે કાર્યક્ષમતા ઘટાડે છે.

ઉપાય: ઘરની હવાને કુદરતી રીતે શુદ્ધ કરવા માટે ધૂપ, કપૂર અથવા ઘરમાં ઇન્ડોર પ્લાન્ટ્સનો ઉપયોગ કરો.

અતિશય પ્લાસ્ટિકનો વપરાશ

વાસ્તુદોષ: પ્લાસ્ટિક ઊર્જાનું નબળું વાહક છે. ઘરમાં પ્લાસ્ટિકની બોટલો, ડબ્બા અને થેલીઓનો ઢગલો ધન અને પ્રગતિમાં રુકાવટ લાવે છે. તેનાથી ઉત્સાહ ઘટે છે અને નિરાશા વધે છે.

ઉપાય: પ્લાસ્ટિકના બદલે કાચ, સ્ટીલ, તાંબા કે પિત્તળના વાસણોનો ઉપયોગ વધારો.

 નોન-સ્ટીક કૂકવેર

વાસ્તુદોષ: રસોડું એ દેવી અન્નપૂર્ણાનું સ્થાન છે. નોન-સ્ટીક વાસણો પર રહેલું કેમિકલ કોટિંગ (ટેફલોન) ગરમ થતાં ઝેરી તત્વો છોડે છે, જે રસોડાની શુદ્ધ ઊર્જાને દૂષિત કરે છે અને સ્વાસ્થ્ય પર માઠી અસર પાડે છે.

ઉપાય: રસોઈ માટે પિત્તળ, કાંસા, લોખંડ કે સ્ટીલના વાસણોને પ્રાધાન્ય આપો.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.