Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Religion: Mahadev took the 12th Rudra avatar to serve Lord Rama, read the amazing story of Hanumanji's birth

Religion: શ્રી રામની સેવા કરવા મહાદેવે લીધો હતો 12મો રુદ્ર અવતાર, વાંચો હનુમાનજીના જન્મની અદ્ભુત વાર્તા

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Religion: શ્રી રામની સેવા કરવા મહાદેવે લીધો હતો 12મો રુદ્ર અવતાર, વાંચો હનુમાનજીના જન્મની અદ્ભુત વાર્તા
સોર્સ : gstv

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ - આ ત્રિદેવમાં ભગવાન શિવને સંહારક તરીકે પૂજવામાં આવે છે. પવિત્ર શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના માટે સમર્પિત છે. ભોલેનાથના ૧૨ રુદ્ર અવતાર છે, જેનું વર્ણન ઘણા ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યું છે.

App Store

પરંતુ તેમના તમામ અવતારોમાં એક અવતારની ચર્ચા અને મહિમા હંમેશાં સૌથી વધુ થાય છે. શાસ્ત્રો અનુસાર, શ્રી રામભક્ત હનુમાનજીનો અવતાર અત્યંત પૂજનીય માનવામાં આવે છે. શિવપુરાણમાં શિવજીના હનુમાન અવતારનું વિગતવાર વર્ણન જોવા મળે છે. જોકે, ઘણા લોકો એ નથી જાણતા કે શિવજીએ હનુમાનજીનો અવતાર કેમ લીધો અને હનુમાનજીનો જન્મ કેવી રીતે થયો. આજના આ લેખમાં આપણે તેના વિશે વિગતવાર જાણીશું.

શાસ્ત્રો અનુસાર હનુમાનજીનો જન્મ

હનુમાનજીના જન્મ વિશે બે કથાઓ પ્રચલિત છે. પહેલી માન્યતા અનુસાર, હનુમાનજી ભગવાન શિવના જ અવતાર છે. રામભક્ત હનુમાનજીના માતા અંજનીએ પુત્ર પ્રાપ્તિ માટે કઠોર તપસ્યા કરી હતી અને ભગવાન શિવને પુત્ર તરીકે મેળવવાનું વરદાન માગ્યું હતું. આ વરદાન પૂર્ણ કરવા માટે, ભગવાન શિવે પવનદેવના માધ્યમથી પોતાની રુદ્ર શક્તિનો એક ભાગ પ્રવાહિત કર્યો. ભગવાન શિવની આ શક્તિ માતા અંજનીના ગર્ભમાં સ્થાપિત થઈ અને તેના ફળસ્વરૂપ ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાનજીનો જન્મ થયો.

પૌરાણિક કથાઓ અનુસાર બીજું કારણ

બીજી પૌરાણિક કથા અનુસાર, જ્યારે ભગવાન વિષ્ણુએ રાવણના અત્યાચારનો અંત કરવા માટે પૃથ્વી પર શ્રી રામ તરીકે અવતાર લીધો, ત્યારે તમામ દેવી-દેવતાઓએ પ્રભુ શ્રી રામની સેવા કરવા માટે પૃથ્વી પર અલગ-અલગ સ્વરૂપે જન્મ લીધો હતો. આ સમયે ભગવાન શિવે પણ પોતાના ૧૧મા રુદ્ર અવતાર તરીકે હનુમાનજીનું સ્વરૂપ ધારણ કર્યું.

એવો પણ ઉલ્લેખ મળે છે કે શિવજીને ભગવાન વિષ્ણુની સેવા કરવાનું વરદાન પ્રાપ્ત થયું હતું. તે જ વરદાનને સાર્થક કરવા માટે શિવજીએ હનુમાનજી તરીકે અવતાર લીધો, જેથી તેઓ પ્રભુ શ્રી રામની અનન્ય સેવા કરી શકે અને રાવણના વધમાં લક્ષ્મણજી તથા વાનરસેના સાથે રહીને સહભાગી બની શકે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરીને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.