VIDEO: આ રાશિના જાતકો પર રાહુ અને શુક્ર મચાવશે ભયંકર તબાહી! ખતરનાક ષડાષ્ટક યોગથી રહો સાવધાન
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ગોચર અને તેની યુતિ કે દ્રષ્ટિનું માનવ જીવન પર ઊંડું પરિણામ આવે છે. આગામી 1 ઓગસ્ટના રોજ ધન, વૈભવ, સૌંદર્ય અને સુખ-સમૃદ્ધિના કારક ગ્રહ શુક્ર સિંહ રાશિની પોતાની યાત્રા સમાપ્ત કરીને કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. કન્યા રાશિમાં શુક્રનું આ ગોચર અત્યંત ખાસ અને સંવેદનશીલ માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ સમયે રાહુ ગ્રહ કુંભ રાશિમાં બિરાજમાન છે. આ સંજોગોમાં કન્યા રાશિના શુક્ર અને કુંભ રાશિના રાહુ પરસ્પર 'ષડાષ્ટક યોગ'નું નિર્માણ કરશે. વૈદિક જ્યોતિષમાં ષડાષ્ટક યોગને અત્યંત અશુભ અને કષ્ટકારી યોગોમાં ગણવામાં આવે છે. આ યોગના કારણે કેટલીક રાશિના જાતકોએ સ્વાસ્થ્ય, આર્થિક બાબતો અને સંબંધોમાં વિશેષ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.
શું હોય છે ષડાષ્ટક યોગ?
જ્યારે બે ગ્રહો એકબીજાથી છઠ્ઠા અને આઠમા ભાવમાં સ્થિત હોય છે, ત્યારે તેને જ્યોતિષમાં ષડાષ્ટક યોગ કહેવામાં આવે છે. છઠ્ઠો ભાવ રોગ, ઋણ અને શત્રુનું પ્રતીક છે, જ્યારે આઠમો ભાવ આયુ, સંકટ, માનસિક તણાવ અને અચાનક આવતી બાધાઓ દર્શાવે છે. શુક્ર અને રાહુ બંનેનો આ સંબંધ ભૌતિક સુખ-સુવિધાઓમાં ઘટાડો, ભ્રમ, ગેરસમજો અને અચાનક ધન હાનીના યોગ બનાવે છે.
આ રાશિઓ પર રહેશે વિશેષ પ્રભાવ
મેષ રાશિ (Aries): મેષ રાશિના જાતકો માટે આ ગોચર કરિયર અને તબિયતના મામલે થોડું કઠિન રહી શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે. ખોટા ખર્ચા વધવાથી બજેટ બગડી શકે છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજથી બચવું અને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.
સિંહ રાશિ (Leo): સિંહ રાશિમાંથી નીકળીને જ શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ યોગના પ્રભાવથી સિંહ રાશિના જાતકોના પારિવારિક જીવનમાં તણાવ વધી શકે છે. વાણીમાં ઉગ્રતાના કારણે બનેલાં કામ બગડી શકે છે. લેણ-દેણ સાથે જોડાયેલા મામલાઓમાં ઉતાવળ ન કરવી, અન્યથા આર્થિક નુકસાન થઈ શકે છે.
કન્યા રાશિ (Virgo): શુક્ર તમારી જ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને રાહુ સાથે ષડાષ્ટક યોગ બનાવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન માનસિક તણાવ અને અજ્ઞાત ભય બની શકે છે. જીવનસાથી સાથે તાલમેલ બેસાડવામાં મુશ્કેલી આવી શકે છે. તબિયતને લઈને બેદરકારી ન રાખવી, વિશેષ કરીને ખાવા-પીવાનું ધ્યાન રાખવું.
કુંભ રાશિ (Aquarius): રાહુ તમારી જ રાશિમાં સ્થિત છે. શુક્રનું આ ગોચર તમારા ખર્ચાઓમાં અણધારી વૃદ્ધિ કરી શકે છે. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. કોઈપણ પ્રકારના અનૈતિક કે જોખમી રોકાણથી અંતર રાખવું, નહીં તો ભારી નુકસાન ઉઠાવવું પડી શકે છે.
ષડાષ્ટક યોગના અશુભ પ્રભાવથી બચવાના ઉપાય
શુક્રવારના દિવસે માં લક્ષ્મીને સફેદ મીઠાઈ કે ખીરનો ભોગ ધરાવો અને 'ૐ શું શુક્રાય નમ:' મંત્રનો જાપ કરો.
શનિવારના દિવસે કૂતરાને રોટલી ખવડાવો અને સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસિયાના તેલનો દીવો પ્રગટાવો.
જરૂરિયાતમંદોને ચોખા, દૂધ, સફેદ વસ્ત્ર કે તલનું દાન કરવું શુભ રહેશે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

