Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Do not make the mistake of throwing old Rakhis into the trash; follow this simple remedy to avoid Vastu defects

જૂની રાખડી કચરાપેટીમાં ફેંકવાની ભૂલ ન કરો, વાસ્તુ દોષથી બચવા કરો આ સરળ ઉપાય

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2026
લાઇવ ટીવીGoogle News
જૂની રાખડી કચરાપેટીમાં ફેંકવાની ભૂલ ન કરો, વાસ્તુ દોષથી બચવા કરો આ સરળ ઉપાય
સોર્સ : gstv

રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ અને મજબૂત બંધનનું પ્રતીક છે. આ દિવસે બહેન તેના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ બહેનની રક્ષાનું કરવાનો સંકલ્પ લે છે. એકવાર તહેવાર પૂરો થઈ જાય અને રાખડી પહેરી લેવામાં આવે ત્યારે ઘણા લોકો વિચારે છે કે તેને કાઢી નાખ્યા પછી ક્યાં અને કેવી રીતે રાખવી જોઈએ. રાખડીને એક પવિત્ર રક્ષણાત્મક રક્ષાસૂત્ર માનવામાં આવે છે અને તેને કચરાપેટીમાં ફેંકી દેવાથી વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. આમ, રક્ષાબંધન પછી જૂની રાખડી ફેંકવાની ભૂલ ન કરતા. એટલે વાસ્તુ અને ધર્મ અનુસાર અપનાવો આ 5 પવિત્ર ઉપાય.

App Store

પવિત્ર નદીમાં વિસર્જન કરી શકાય

જૂની રાખડીને પવિત્ર નદીમાં આદરપૂર્વક વિસર્જન કરવું એ એક સારી પ્રથા માનવામાં આવે છે. સૌપ્રથમ, રાખડીને નદીમાં વિસર્જન કરતા પહેલા તેને સ્વચ્છ કપડામાં લપેટી લો. તેનો નિકાલ કરવાની બીજી રીત એ છે કે તેને માટીમાં દાટી દેવી.

રાખડીને પીપળ-વડના ઝાડ પાસે રાખવી

ધાર્મિક માન્યતાઓ અનુસાર, પીપળ અને વડના ઝાડને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ ઝાડના મૂળ પાસે જમીનમાં જૂની રાખડી દાટી દેવી શુભ માનવામાં આવે છે. આમ કરવાથી રાખડીનું સન્માન થાય છે અને વાસ્તુ સંબંધિત કોઈપણ ખામીઓ દૂર થાય છે.

લાલ કપડામાં રાખડીને બાંધી તિજોરીમાં મૂકવી

જો તમે રાખડીને લાંબા સમય સુધી સુરક્ષિત રીતે સાચવવા માંગતા હોય, તો તમે તેને સ્વચ્છ લાલ કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં અથવા તમારા પૂજા સ્થળની નજીક મૂકી શકો છો. લાલ રંગને શુભ અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી આ પદ્ધતિ ધર્મ અને વાસ્તુ બંનેના દ્રષ્ટિકોણથી યોગ્ય છે.

રાખડીનો ફરીથી ઉપયોગ કરો

જૂની રાખડીને કાળજીપૂર્વક સાચવીને, તેનો ઉપયોગ આગામી વર્ષે ફરીથી કરી શકાય છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી, આમ કરવું અયોગ્ય માનવામાં આવતું નથી. જો રાખડી સારી સ્થિતિમાં હોય, તો તેને સાફ કરીને ફરીથી બાંધી શકાય છે. પરંપરાનું સન્માન કરવાની અને યાદોને સાચવવાની આ એક સુંદર રીત છે.

ડિસ્ક્લેમર: આ સ્ટોરીમાં ઉલ્લેખિત ઉપાયો, ફાયદા, સલાહ અને વિધાન ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે. અહીં સમાવિષ્ટ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, પ્રવચનો, માન્યતાઓ, શાસ્ત્રો અને દંતકથાઓ સહિત વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે. વાચકોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ આ સ્ટોરીને સંપૂર્ણ સત્ય અથવા ચોક્કસ દાવા તરીકે ન ગણે.