Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Bringing home the idol of Bappa on Ganesh Chaturthi? Know the correct direction of the trunk and the Vastu rules

ગણેશ ચતુર્થી પર ઘરમાં લાવી રહ્યા છો બાપ્પાની મૂર્તિ? જાણી લો સૂંઢની સાચી દિશા અને વાસ્તુ નિયમો

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ગણેશ ચતુર્થી પર ઘરમાં લાવી રહ્યા છો બાપ્પાની મૂર્તિ? જાણી લો સૂંઢની સાચી દિશા અને વાસ્તુ નિયમો
સોર્સ : gstv

દેશભરમાં ગણેશોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દર વર્ષે ભાદરવા સુદ ચોથ (ભાદ્રપદ શુક્લ ચતુર્થી)ના પાવન દિવસે ઘરો અને પંડાલોમાં વિઘ્નહર્તા દેવ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અને વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરમાં બાપ્પાનું આગમન કરાવતી વખતે યોગ્ય મૂર્તિની પસંદગી કરવી અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

App Store

ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે મોટાભાગના લોકોના મનમાં એક સવાલ ચોક્કસ થાય છે કે, ગણેશજીની સૂંઢ કઈ દિશામાં હોવી જોઈએ?

વાસ્તુશાસ્ત્ર અને શાસ્ત્રો અનુસાર, સૂંઢની દિશા માત્ર શિલ્પકળા પૂરતી સીમિત નથી, પરંતુ તે ઘરની ઊર્જા અને પૂજાના પરિણામ સાથે સીધી રીતે જોડાયેલી છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે ગણેશજીનું સાચું સ્વરૂપ પસંદ કરવું અનિવાર્ય છે.

ઘરમાં સ્થાપના માટે કઈ સૂંઢવાળા ગણેશજી શુભ?

 ડાબી બાજુ વળેલી સૂંઢ (વામમુખી ગણેશ)

વાસ્તુ અને જ્યોતિષ મુજબ, ઘરના પૂજાસ્થાન માટે ડાબી બાજુ સૂંઢ વળેલી હોય તેવી મૂર્તિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સ્વરૂપને 'ચંદ્ર નાડી' સાથે સંબંધિત ગણાય છે, જે શાંતિ અને શીતળતા પ્રદાન કરે છે.

  • ફળ: આ મૂર્તિની પૂજાથી ઘરમાં સ્થાયી સમૃદ્ધિ, સુખ અને શાંતિનો વાસ થાય છે.

  • નિયમો: ગૃહસ્થ જીવન માટે આ સ્વરૂપ સૌથી સરળ અને અનુકૂળ છે, કારણ કે આ પૂજામાં અજાણતાં થયેલી નાની-મોટી ભૂલો પણ દોષરૂપ બનતી નથી.

જમણી બાજુ વળેલી સૂંઢ (દક્ષિણામુખી ગણેશ)

જમણી બાજુ વળેલી સૂંઢવાળા ગણેશજીને 'સિદ્ધિ વિનાયક' કે 'દક્ષિણામુખી ગણેશ' કહેવામાં આવે છે, જે 'સૂર્ય નાડી' સાથે જોડાયેલા હોવાથી અત્યંત તેજસ્વી અને જાગ્રત ઊર્જા ધરાવે છે.

નિયમો: આ સ્વરૂપની પૂજામાં શાસ્ત્રોક્ત કઠોર વિધિ-વિધાન, ચોક્કસ સમય અને ઉચ્ચ સ્તરની શુદ્ધતા અનિવાર્ય છે. સહેજ પણ બેદરકારી દોષનું કારણ બની શકે છે.

સ્થાપના: કઠિન નિયમોને લીધે સામાન્ય ઘરોની તુલનાએ મંદિરો કે આશ્રમોમાં જમણી સૂંઢવાળા ગણેશજીની સ્થાપના વધુ પ્રચલિત છે.

મૂર્તિ ખરીદતી વખતે આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખો:

બેઠેલી મુદ્રા: ઘરમાં હંમેશાં બેઠેલી સ્થિતિમાં અને આશીર્વાદ આપતી મુદ્રાવાળા ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી અતિ શુભ મનાય છે. ઊભેલી મૂર્તિ સ્થાપવાનું ટાળવું.

મોદક અને ઉંદર: મૂર્તિમાં ગણેશજીના હાથમાં મોદક (લાડુ) અને તેમના ચરણોમાં વાહન ઉંદર (મૂષકરાજ) અવશ્ય હોવા જોઈએ.

અખંડિત મૂર્તિ: મૂર્તિ ક્યાંયથી પણ ખંડિત, તિરાડવાળી કે રંગ ઉડી ગયેલી ન હોવી જોઈએ.

ઇકો-ફ્રેન્ડલી માટી: પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP) અને કેમિકલયુક્ત રંગોને બદલે પર્યાવરણને અનુકૂળ શાડુ માટી (ક્લે)થી બનેલી મૂર્તિ જ ઘરે લાવવી હિતાવહ છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

ટોપિક્સ:GSTV NewsGujarati Newsreligion