Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Big danger for these 5 zodiac signs! July 13 Double 'Ashubh Yoga'

VIDEO: આ 5 રાશિના જાતકો માથે મોટું સંકટ! 13 જુલાઈએ બેવડો ‘અશુભ યોગ’

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જ્યારે પણ કોઈ યોગ કે રાજયોગ બને છે, ત્યારે તે દરેક રાશિના જાતકોના જીવન પર અસર કરે છે. દ્રિક પંચાંગ પ્રમાણે 13 જુલાઈ, 2026ના રોજ જ્યોતિષમાં અત્યંત પડકારજનક માનવામાં આવતો ષડાષ્ટક યોગ એક વાર નહીં, પણ બે વાર બનવા જઈ રહ્યો છે. જ્યારે બે ગ્રહો છઠ્ઠા અને આઠમા સ્થાનમાં એટલે કે, લગભગ 150 ડિગ્રીના અંતરે હોય છે, ત્યારે આ અશુભ સંયોગનું નિર્માણ થાય છે. આ દિવસે પહેલો ષડાષ્ટક યોગ સાંજે 6:23 વાગ્યે અને બીજો 10:13 વાગ્યે બનશે. ગ્રહોની આ અનિયમિત ચાલને કારણે, કેટલીક ચોક્કસ રાશિના જાતકોએ ખૂબ કાળજી રાખવાની જરૂર પડશે.

App Store

મેષ રાશિ

આ ગ્રહોની સ્થિતિ તમારા સ્વભાવમાં અચાનક ગુસ્સો અને ચીડિયાપણું વધારી શકે છે. ઓફિસમાં સહકર્મચારીઓ અથવા સીનિયર અધિકારીઓ સાથે દલીલ શક્ય છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. વાહન ચલાવતી વખતે ખાસ કાળજી રાખો, કારણ કે ઈજા થવાનું જોખમ છે.

ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરો.

સિંહ રાશિ

આ યોગ તમારા સંચિત ધન અને પારિવારિક જીવનને અસર કરી શકે છે. રોકાણ કરવાનું ટાળો, કારણ કે આ સમય દરમિયાન લેવામાં આવેલા નાણાકીય નિર્ણયો હાનિકારક સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે વૈચારિક મતભેદો વધુ ઘેરા બની શકે છે.

ઉપાય: તાંબાના પાત્રથી સૂર્ય દેવને જળ અર્પણ કરો.

કન્યા રાશિ

ષડાષ્ટક યોગના કારણે તમને માનસિક તણાવ અને અજાણ્યા ભયનો સામનો કરવો પડી શકે છે. બનતા કામ અચાનક અટકી શકે છે, જેના કારણે નિરાશા થશે. ધીરજ રાખો. પેટની સમસ્યાઓ અથવા અનિદ્રા તમને પરેશાન કરી શકે છે.

ઉપાય: બુધવારે મગની દાળનું દાન કરો.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સાવચેત રહેવાનો છે, ખાસ કરીને ગુપ્ત શત્રુઓથી. તમારી વિરુદ્ધ કોઈ કાવતરું અથવા રાજનીતિ થઈ શકે છે. તમારી ગુપ્ત વાતો કોઈની સાથે શેર કરવાનું ટાળો. કોર્ટ કેસ અથવા મિલકતના મામલાઓથી દૂર રહો.

ઉપાય: શનિવાર અથવા મંગળવારે સુંદરકાંડનો પાઠ કરો.

કુંભ રાશિ

ખર્ચના કારણે તમારું બજેટ ખોરવાઈ શકે છે. અચાનક મોટા અને અણધાર્યા ખર્ચાઓ સામે આવી શકે છે, જેના કારણે ઉધાર લેવાની જરૂર પડી શકે છે. જો એકદમ જરૂરી ન હોય, તો સમય દરમિયાન લાંબા અંતરની મુસાફરી મુલતવી રાખો.

ઉપાય: શનિદેવના મંત્ર 'ૐ શં શનૈશ્ચરાય નમઃ'નો જાપ કરો.

શું કરવું: ભગવાન શિવ અને મહામૃત્યુંજય મંત્રોનો જાપ કરો. ગ્રહોના અશુભ પ્રભાવને ઘટાડવાનો આ એક અચૂક ઉપાય છે.

શું ન કરવું: આ દિવસે કોઈપણ નવું કાર્ય શરૂ કરવાનું, કોઈ મોટું નાણાકીય વ્યવહાર કરવાનું અથવા નવો બિઝનેસ એગ્રીમેન્ટ કરવાનું ટાળો.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.