Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : Visit Palakollu if you are looking for peace away from the crowds

Travel Destination / ભીડભાડથી દૂર શાંત સ્થળ શોધી રહ્યો છો? તો પાલકોલ્લુની લો મુલાકાત

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Travel Destination / ભીડભાડથી દૂર શાંત સ્થળ શોધી રહ્યો છો? તો પાલકોલ્લુની લો મુલાકાત
સોર્સ : GSTV

ચારે તરફથી મનમોહક કુદરતી દૃશ્યોથી ભરેલા આંધ્રપ્રદેશના શહેર પાલાકોલ્લુને ભગવાનની kruti માનવામાં આવે છે. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી નારિયેળના ઝાડ, લીલાછમ કેળાના બગીચા અને નાના પાણીના સ્ત્રોત ફેલાયેલા છે. આ શહેર પ્રકૃતિ પ્રેમીઓ અને સમુદ્રની સુંદરતા જોવા ઈચ્છતા લોકો માટે સ્વર્ગ છે.

App Store

શિયાળાની ઋતુમાં પાલકોલ્લુનું વાતાવરણ સુખદ હોય છે. આ જ કારણ છે કે નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના આ શહેરની મુલાકાત લેવા માટે આદર્શ બને છે. તો ચાલો આ શહેર સુધી કેવી રીતે પહોંચવું અને ત્યાં શું જોવું તેના વિશે જણાવીએ.

કેવી રીતે પહોંચવું?

  • હવાઈ માર્ગે: રાજમુન્દ્રી એરપોર્ટ સૌથી નજીક છે, તે લગભગ 80 કિલોમીટર દૂર આવેલું છે.
  • રેલ માર્ગે: પાલકોલ્લુ રેલ્વે સ્ટેશન પહોંચી શકાય છે.
  • રોડ દ્વારા: શહેર આંધ્રપ્રદેશના અન્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે.

શહેરથી દૂર ગામડાનું શાંત વાતાવરણ

સુંદર કુદરતી દૃશ્યો ઉપરાંત પાલાકોલ્લુમાં તમને ભીડ અને ઘોંઘાટથી દૂર આંધ્રપ્રદેશના ગ્રામીણ વાતાવરણની ઝલક પણ જોવા મળે છે.

બોટિંગનો અનુભવ

પવિત્ર ગોદાવરી નદીની નજીક સ્થિત હોવાના કારણે પાલકોલ્લુમાં તમને સુંદર બેકવોટર અને નાના ટાપુઓ પણ જોવા મળે છે. જેમાં તમને બોટિંગ અને બર્ડવોચિંગનો અનોખો અનુભવ મળશે.

સ્થળાંતર કરનારા પક્ષીઓ તળાવની સુંદરતામાં વધારો કરે છે

તે ભારતના સૌથી મોટા મીઠા પાણીના તળાવનું ઘર પણ છે. ઉત્તર એશિયા અને પૂર્વી યુરોપમાંથી લાખો સ્થળાંતર કરનારા પક્ષીઓ શિયાળાની ઋતુમાં કોલેરુ તળાવની મુલાકાત લે છે, જે તળાવની સુંદરતામાં વધારો કરે છે. બર્ડવોચિંગનો શોખ ધરાવતા લોકો માટે તે એક અદ્ભુત દૃશ્ય છે. વધુમાં આ તળાવ 60થી વધુ પ્રજાતિઓની માછલીઓનું ઘર છે.

સફેદ શિવલિંગ

પાલકોલ્લુ શહેર આંધ્રપ્રદેશમાં તેના અનોખા શિવ મંદિર માટે પ્રખ્યાત છે. અહીં ભગવાન શિવને ક્ષીર રામલિંગેશ્વરના નામે ઓળખવામાં આવે છે, જેન દૂધિયા સફેદ શિવલિંગના રૂપમાં છે. આ મંદિર તેના સુંદર સ્થાપત્ય માટે પ્રખ્યાત છે અને પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણ પણ છે.

વિવિધ પ્રકારની વાનગીઓ

પાલકોલ્લુમાં તમને આંધ્રપ્રદેશની ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ ચાખવાની તક મળશે, જેમાં મીનાપા અથવા ડિબ્બા રોટીથી લઈને કોવા પુરી અને ચોખાના પાટલા રેપમાંથી બનતી મીઠાઈ પુથેરકુલ્લુનો સમાવેશ થાય છે.