ફ્રિજના દરવાજામાં ક્યારેય ન રાખો આ 7 વસ્તુઓ! જલ્દી ખરાબ થવાનું રહે છે મોટું જોખમ

ફળ-શાકભાજી હોય કે ડેરી પ્રોડક્ટ્સ, લાંબા સમય સુધી તેને ફ્રેશ રાખવા માટે ફ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. અવારનવાર લોકો વધેલું ભોજન પણ ફ્રિજમાં સ્ટોર કરીને રાખી દે છે અને પછી પાછળથી ગરમ કરીને ખાય છે. પરંતુ શું તમને ખબર છે કે ફ્રિજમાં ટેમ્પરેચર બધી જગ્યાએ સરખું નથી હોતું? ખાસ કરીને ડોર (દરવાજા) વાળી શેલ્ફનું તાપમાન સતત બદલાતું રહે છે. કારણ કે અવારનવાર દરવાજો વારંવાર ખૂલે છે અને બંધ થાય છે, જેના કારણે ટેમ્પરેચર ચેન્જ થતું રહે છે. તેથી કેટલીક ફૂડ આઈટમ્સ એવી છે, જેને તમારે બિલકુલ પણ ફ્રિજની ડોર શેલ્ફમાં ન રાખવી જોઈએ. ફ્રિજમાં રહેવા છતાં પણ તેના જલ્દી ખરાબ થવાનું જોખમ રહે છે.
ફ્રિજની ડોર શેલ્ફમાં ન રાખો ડેરી પ્રોડક્ટ્સ
ન્યુટ્રિશનિસ્ટને જણાવ્યું છે કે ફ્રિજના દરવાજા વાળી શેલ્ફમાં દૂધ અને દૂધમાંથી બનેલી વસ્તુઓ ન રાખવી જોઈએ. જેમ કે- પનીર, ચીઝ, દહીં, યોગર્ટ, લસ્સી, છાશ, મલાઈ અને તાજી ક્રીમ. હકીકતમાં ડોર શેલ્ફમાં વારંવાર ટેમ્પરેચર બદલાવાને કારણે ડેરી પ્રોડક્ટ્સ જલ્દી ખરાબ થવાનું રિસ્ક રહે છે.
ઈંડા પણ જલ્દી ખરાબ થાય છે
ફ્રિજની ડોર શેલ્ફમાં રાખવાથી ઈંડા પણ ખૂબ જલ્દી ખરાબ થઈ શકે છે. તેથી તેને પોતાના બોક્સમાં જ રાખવા જોઈએ અને ફ્રિજની અંદરની શેલ્ફમાં સ્ટોર કરવા જોઈએ.
કાપેલા ફળ અને શાકભાજી (ખાસ કરીને લીંબુ)
અવારનવાર લોકો કાપેલા લીંબુને ફ્રિજની ડોર શેલ્ફમાં રાખી દે છે, જે યોગ્ય નથી. ડોર શેલ્ફમાં ટેમ્પરેચર ગરમ હોવાને કારણે કાપેલા લીંબુ કે કોઈ પણ ફળ-શાકભાજીનો બહારનો ભાગ સુકાઈ જાય છે. આનાથી જલ્દી ફૂગ (મોલ્ડ) લાગવાનો અને ખરાબ થવાનો ચાન્સ રહે છે.
આદુ-લસણની પેસ્ટ ડોર શેલ્ફમાં ન રાખો
મોટાભાગના લોકોની ડોર શેલ્ફમાં આદુ-લસણની પેસ્ટનું પેકેટ જોવા મળી જશે. પરંતુ વારંવાર ટેમ્પરેચર બદલાવા અને ગરમ થવાને કારણે તે ખૂબ જલ્દી ખરાબ પણ થઈ શકે છે. તેથી તેને હંમેશાં સારી રીતે બંધ કરીને ફ્રિજની અંદરની શેલ્ફમાં સ્ટોર કરવી જોઈએ.
લીલી ચટણી પણ આ જગ્યાએ સ્ટોર ન કરો
ઘરની તાજી બનાવેલી લીલી ચટણીને ફ્રિજની ડોર શેલ્ફમાં ન રાખવી જોઈએ. હકીકતમાં ચટણીમાં ભેજ (મોઈશ્ચર) ખૂબ વધારે હોય છે તેથી તેના ખરાબ થવાનો ચાન્સ પણ વધારે હોય છે. લાંબા સમય સુધી ચટણી ફ્રેશ રાખવી હોય તો તેને સારી રીતે બંધ કરીને ફ્રિજની અંદરની શેલ્ફમાં રાખો.
વધેલું ભોજન અંદરની શેલ્ફમાં રાખો
વધેલું ભોજન ક્યારેય પણ ફ્રિજના આ ભાગમાં ન રાખવું જોઈએ. વારંવાર તાપમાન બદલાવાને કારણે તે વધુ જલ્દી ખરાબ થઈ શકે છે. તેને હંમેશાં બરાબર સ્ટોર કરીને ફ્રિજની અંદરની શેલ્ફમાં જ રાખવું જોઈએ.
કાચું મીટ અને માછલી
ફ્રિજની ડોર શેલ્ફમાં કાચું મીટ અને માછલી પણ ન રાખવા જોઈએ. તેમાં પણ મોઈશ્ચર હોય છે, જેના કારણે વારંવાર ટેમ્પરેચર ચેન્જ થવા પર તે જલ્દી ખરાબ થઈ શકે છે.
ફ્રિજની ડોર શેલ્ફમાં શું-શું રાખી શકાય?
ફ્રિજની ડોર શેલ્ફમાં તમે એવી ફૂડ આઈટમ્સ રાખી શકો છો જે જલ્દી ખરાબ નથી થતી. જેમ કે- અથાણું, કેચઅપ, મસ્ટર્ડ, જેમો, માર્કેટવાળા સોસ, બટર, પાણી અને સોફ્ટ ડ્રિંક્સ. આ વસ્તુઓ તાપમાનમાં થતા હળવા ફેરફારને આરામથી સહન કરી લે છે અને જલ્દી ખરાબ નથી થતી.

