Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : These 7 tips will help you to get relief from stomach problems in summer

Health Tips / તમને પણ ઉનાળામાં પાચન સંબંધી સમસ્યાઓથી પરેશાની થાય છે? તો જરૂર કરો આ 7 કામ

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Health Tips / તમને પણ ઉનાળામાં પાચન સંબંધી સમસ્યાઓથી પરેશાની થાય છે? તો જરૂર કરો આ 7 કામ

ઉનાળાની ઋતુ પોતાની સાથે ઘણી સમસ્યાઓ લઈને આવે છે. આ દરમિયાન અનેક રોગોનું જોખમ વધી જાય છે. એટલા માટે કહેવાય છે કે આ ઋતુમાં ખાવા-પીવાની આદતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેથી તમે સ્વસ્થ રહી શકો. ઉનાળામાં બજારોમાં મોસમી ફળો અને લીલા શાકભાજી મળે છે. આ તમારા શરીરને હાઈડ્રેટેડ રાખે છે. ઉપરાંત, તે બધા જરૂરી પોષક તત્વોની ઉણપને પૂર્ણ કરે છે.

App Store

આ દિવસોમાં, પેટની સમસ્યાઓ મોટાભાગે જોવા મળે છે. પેટમાં બળતરા, ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ સામાન્ય છે. જો ખોરાક પર યોગ્ય ધ્યાન ન આપવામાં આવે તો પાચનક્રિયા પર અસર પડે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને આ લેખમાં કેટલીક ખાસ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ જે તમારા પેટને ઠંડુ રાખશે. પાચનતંત્રની પણ કોઈ સમસ્યા નહીં થાય. 

ડાયટમાં પ્રવાહી વસ્તુઓનો સમાવેશ કરો

ઉનાળામાં પરસેવાને કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. આનાથી પાચન સંબંધી સમસ્યાઓ વધી શકે છે. આવી સ્થિતિમાં દિવસભરમાં 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. આ ઉપરાંત, નારિયેળ પાણી, છાશ, લીંબુ પાણી વગેરે જેવા નેચરલ ડ્રીંક્સ પણ શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે.

હળવો ખોરાક લો

જો તમે ઉનાળામાં ભારે, તળેલો અને મસાલેદાર ખોરાક ખાઓ છો, તો તે પચવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી, તમારા ડાયટમાં હળવા અને સરળતાથી પાચન થઈ જાય તેવા ખોરાકનો સમાવેશ કરો. તમે ખીચડી, દહીં-ભાત, શાક-રોટલી ખાઈ શકો છો. તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી અને મોસમી ફળોનો સમાવેશ કરો, જે ફાઈબરથી ભરપૂર હોય છે અને પાચનમાં સુધારો કરે છે.

દહીં ખાઓ

દહીંમાં રહેલા પ્રોબાયોટિક ગુણધર્મો સારા બેક્ટેરિયાને વધારે છે, જે તમારા પેટને સ્વસ્થ રાખે છે. ઉનાળામાં દરરોજ એક વાટકી દહીં અથવા છાશ અવશ્ય ખાઓ. આ પેટને ઠંડુ રાખવામાં ખૂબ ફાયદાકારક છે.

ફાસ્ટ ફૂડ ટાળો

ફાસ્ટ ફૂડ, તેલયુક્ત નાસ્તો અને વધુ પડતું મસાલેદાર ખોરાક ખાવાથી પેટમાં ગરમી, બળતરા અને ગેસ થઈ શકે છે. આનાથી એસિડિટી અને અપચોની સમસ્યા પણ વધે છે. ફક્ત તાજો, હળવો અને ઘરે બનાવેલો ખોરાક ખાવાનો પ્રયાસ કરો.

ભોજન વચ્ચે લાંબો ગેપ ન રાખો

જો તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહો છો, તો તેનાથી પેટમાં એસિડ બને છે. આનાથી ગેસ અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. દર 2-3 કલાકે કંઈક હળવું અને પૌષ્ટિક ખાઓ. આનાથી તમારા પેટ પર વધારે દબાણ નહીં આવે.

તાજા ફળો અને સલાડનું સેવન વધારો

ઉનાળામાં મોસમી ફળોનો ભરપૂર પ્રમાણ હોય છે. તરબૂચ, ટેટી, કાકડી જેવા પાણીયુક્ત ફળો અને શાકભાજી ઉનાળામાં શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. સલાડ બનાવતી વખતે, તમે લીંબુ અને કાળું મીઠું ઉમેરી શકો છો, જે પાચન અને સ્વાદ બંનેમાં સુધારો કરશે.

વોકિંગ પણ જરૂરી છે

ગરમીને કારણે, મોટાભાગના લોકો જમ્યા પછી તરત જ સૂઈ જાય છે. જો તમે આવું કરશો તો ખોરાક પચાવવામાં મુશ્કેલી પડશે. જમ્યા પછી તમારે ચોક્કસપણે 5થી 10 મિનિટ માટે હળવું વોકિંગ કરવું જોઈએ.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.