Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : This magical Ayurvedic sandalwood paste will calm the brain and give you a blissful sleep.

Beauty Tips : ગરમીમાં રાતભર પડખાં ફેરવવાની જરૂર નથી! ચંદનનો આ જાદુઈ આયુર્વેદિક લેપ મગજ શાંત કરી આપશે સુખની ઊંઘ

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Beauty Tips : ગરમીમાં રાતભર પડખાં ફેરવવાની જરૂર નથી! ચંદનનો આ જાદુઈ આયુર્વેદિક લેપ મગજ શાંત કરી આપશે સુખની ઊંઘ
સોર્સ : gstv

મે-જૂનની આ કાળઝાળ ગરમીમાં ન માત્ર દિવસનો જ ચેન છીનવે છે, પણ રાતની ઊંઘ પણ હરામ થઈ જાય છે. કૂલર અને એસી ચાલતા હોવા છતાં ઘણીવાર શરીરના આંતરિક તાપમાન (Body Heat)ને કારણે આખી રાત પડખાં ફેરવતાં-ફેરવતાં જ સવાર પડી જાય છે. દિવસભરના થાક પછી જો રાત્રે સુખની ઊંઘ ન મળે, તો તેની સીધી અસર આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે.

App Store

જો તમે પણ આ ગરમીમાં અનિદ્રા (Insomnia) અથવા અધૂરી ઊંઘથી પરેશાન છો, તો આયુર્વેદમાં તેનો એક ખૂબ જ સરળ, સસ્તો અને જાદુઈ ઈલાજ છુપાયેલો છે – ચંદનનો લેપ. સદીઓથી આપણા દેશમાં ચંદનનો ઉપયોગ માત્ર પૂજા-પાઠ કે ચહેરાની સુંદરતા વધારવા માટે જ નહીં, પરંતુ શરીરને ઠંડક પહોંચાડવા માટે પણ કરવામાં આવે છે.  તો અહીં જાણો રાત્રે સૂતા પહેલા કપાળ અને પગના તળિયા પર ચંદનનો લેપ લગાવવાથી કેવા ચમત્કારી ફાયદા થાય છે.

કપાળ અને તળિયા પર ચંદન લગાવવું કેમ ખાસ છે?

આયુર્વેદ અનુસાર, ગરમીની ઋતુમાં શરીરમાં ‘પિત્ત દોષ’ વધી જાય છે, જેના કારણે શરીરમાં ગરમી, સ્વભાવમાં ચીડિયાપણું અને ઊંઘ ન આવવાની સમસ્યા થવા લાગે છે. ચંદનની પ્રકૃતિ (તાસીર) અત્યંત ઠંડી (Cooling Property) હોય છે.

કપાળ પર લગાવવાના ફાયદા: આપણું કપાળ (Forehead) અને બંને ભમરો વચ્ચેનો ભાગ (આજ્ઞા ચક્ર/Third Eye Chakra) આપણા નર્વસ સિસ્ટમ અને માનસિક શાંતિ સાથે જોડાયેલો છે. જ્યારે તમે અહીં ચંદનનો લેપ લગાવો છો, ત્યારે તે સીધા તમારા મગજને શાંત કરે છે, સ્ટ્રેસ હોર્મોન્સને ઘટાડે છે અને મગજની નસોને રિલેક્સ કરે છે.

પગના તળિયા પર લગાવવાના ફાયદા: આયુર્વેદમાં પગના તળિયાની માલિશ કે લેપનું વિશેષ મહત્વ છે. તળિયામાં એવા કેટલાય એક્યુપ્રેશર પોઈન્ટ્સ હોય છે જે સીધા આપણા મગજ અને ઊંઘના ચક્રને નિયંત્રિત કરે છે. તળિયા પર ચંદન લગાવવાથી આખા શરીરની વધારાની ગરમી શાંત થાય છે.

કેવી રીતે તૈયાર કરશો અને લગાવશો આ આયુર્વેદિક લેપ?

1. શુદ્ધ ચંદનની પસંદગી: આ માટે હંમેશા સારી ગુણવત્તાના ચંદન પાવડર અથવા અસલી ચંદનના લાકડાનો જ ઉપયોગ કરો.
2. લેપ બનાવવાની રીત: 1 થી 2 ચમચી ચંદન પાવડરમાં જરૂરિયાત મુજબ અસલી ગુલાબજળ અથવા ઠંડું પાણી ઉમેરીને એક સ્મૂધ પેસ્ટ (લેપ) તૈયાર કરી લો.
૩. લગાવવાની રીત: રાત્રે સૂવાના બરાબર 15-20 મિનિટ પહેલાં તમારા પગને સારી રીતે ધોઈને લૂછી લો. હવે આ લેપને તમારા બંને પગના તળિયા પર અને કપાળ પર સારી રીતે લગાવી લો. જ્યારે આ લેપ સહેજ સુકાઈ જાય (સંપૂર્ણપણે કડક ન થવા દેવો), ત્યારે તમે સૂઈ શકો છો. સવારે ઉઠીને તેને સાદા પાણીથી ધોઈ લો.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.