ઉત્તર પ્રદેશમાં લખીમપુરના 'મુસ્તફાબાદ'નું નામ બદલાયું, જાણો CM યોગી આદિત્યનાથે શું કહ્યું?

ઉત્તર પ્રદેશમાં વધુ એક શહેરનું નામ બદલવામાં આવ્યું છે. આ સિલસિલો 2014માં કેન્દ્રમાં NDAની સરકાર બન્યા બાદ એક પછી એક શહેરના નામ બદલવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના લખીમપુરમાં મુસ્તફાબાદનું નામ બદલીને કબીરધામ કરવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશમાં લખીમપુરના મુસ્તફાબાદનું નામ બદલાયું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર ખીરીના મુસ્તફાબાદ સ્થિત વિશ્વ કલ્યાણ આશ્રમ પહોંચ્યા હતા. આ દરમિયાન યોગી આદિત્યનાથે મુસ્તફાબાદનું નામ બદલીને કબીરધામ રાખવાની જાહેરાત કરી હતી અને કહ્યું કે પાછલી સરકારોમાં અયોધ્યાને ફૈઝાબાદ, પ્રયાગરાજના અલ્હાબાદ અને કબીરધામને મુસ્તફાબાદ બનાવવામાં આવ્યું હતું. અમે આ સ્થલોની ઓળખ પરત મેળવવાનું કામ કર્યું છે. CM યોગીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, વિપક્ષ તેને સેક્યુલરિજમના નામ પર કરતું હતું જ્યારે આ પાખંડ છે.
સંત કબીરદાસજીની વાણી આજે પણ સમાજનું માર્ગદર્શન કરે છે- CM યોગી આદિત્યનાથ
કબીરધામ આશ્રમમાં આયોજિત ભવ્ય આયોજનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાષ્ટ્રભક્તિ, સનાતન પરંપરા અને વારસાનું સમ્માન અને વિકાસની દિશામાં સરકારની સિદ્ધિઓ પર પ્રકાશ મુક્યો હતો.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે સંત કબીરદાસના શબ્દો આજે પણ સમાજને માર્ગદર્શન આપે છે. તેમણે નિર્ગુણ ભક્તિનો એક એવો પ્રવાહ વહેતો કર્યો જેણે સામાજિક વિસંગતતાઓને તોડી નાખી અને આત્મા અને પરમાત્મા વચ્ચેના સંબંધને સરળ શબ્દોમાં સામાન્ય લોકોને સફળતાપૂર્વક સમજાવ્યો. મુખ્યમંત્રીએ કહ્યું કે "ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લગૂન પાઓં..." આ દોહીત્ર આજે પણ આપણને ગુરુના મહત્ત્વની યાદ અપાવે છે.
ઉત્તર પ્રદેશમાં આ શહેરોના નામ બદલાઇ ચુક્યા છે
મહત્ત્વપૂર્ણ છે કે યોગી આદિત્યનાથના 2017માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદથી 4 શહેરોના નામ બદલવામાં આવ્યા છે. અલ્હાબાદનું નામ પ્રયાગ રાજ, ફૈજાબાદનું અયોધ્યા, મુગલસરાયનું દીનદયાળ ઉપાધ્યાય નગર અને જલાલાબાદનું પરશુરામપુરી કરવામાં આવ્યું છે.

