શું હવે કર્મચારીઓને ઓવરટાઇમના મળશે બમણા પૈસા? સંસદમાં સરકારે કહી આ મોટી વાત!

કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં ઓવરટાઇમ ભથ્થા (OTA)ને લઈને ઊભેલા પ્રશ્નો પર સરકારે સંસદમાં સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. નવા 'Code on Wages, 2019'માં સામાન્ય કામના કલાકો કરતાં વધુ કામ કરવા પર મૂળ વેતન દરના ઓછામાં ઓછા બમણા દરથી ઓવરટાઇમ આપવાની જોગવાઈ છે. આ કારણે કર્મચારીઓમાં ચર્ચા હતી કે શું કેન્દ્રીય કર્મચારીઓને પણ હવે બમણું ઓવરટાઇમ ભથ્થું મળશે. સરકારે લોકસભામાં સ્પષ્ટતા કરી છે કે આ નવો નિયમ કેન્દ્રીય કર્મચારીઓના વર્તમાન OTA પર આપમેળે લાગુ થશે નહીં.
સંસદમાં સરકારે શું સ્પષ્ટતા કરી?
5 ઓગસ્ટ, 2026ના રોજ લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, પાત્રતા ધરાવતા નોન-ગેઝેટેડ (Non-Gazetted) કેન્દ્રીય કર્મચારીઓનું ઓવરટાઇમ ભથ્થું સંબંધિત પગાર પંચ (Pay Commission)ની ભલામણો અને લાગુ સરકારી આદેશોના આધારે જ નક્કી થાય છે. તેથી, નવા વૅજ કોડમાં બમણા દરની જોગવાઈ હોવા છતાં, કેન્દ્રીય કર્મચારીઓનું OTA આપમેળે બમણું થઈ ગયું નથી.
નવા વૅજ કોડની કલમ 14 અને કેન્દ્રીય કર્મચારીઓ
નવા વૅજ કોડની કલમ 14 મુજબ, જો કોઈ કર્મચારી નિર્ધારિત કલાકો કરતાં વધુ કામ કરે છે, તો તેને સામાન્ય વેતન દર કરતાં બમણું ચૂકવણું કરવાનો નિયમ છે. પરંતુ આ સામાન્ય કાનૂની જોગવાઈ કેન્દ્રીય કર્મચારીઓના સેવા નિયમો પર સીધી રીતે લાગુ પડતી નથી. કેન્દ્રીય કર્મચારીઓ માટે OTAની પાત્રતા અને ચૂકવણી અલગ સેવા નિયમો અને સરકારી આદેશો સાથે જોડાયેલી છે. તેથી, ફક્ત વૅજ કોડનો હવાલો આપીને કર્મચારીઓ તરત જ બમણા ભથ્થાનો દાવો કરી શકતા નથી.
1991ના સરકારી આદેશ પર આધારિત છે OTAનું માળખું
સરકારે સંસદમાં ઉમેર્યું હતું કે, કેન્દ્રીય કર્મચારીઓ માટે પ્રતિ કલાક OTAના દરો 19 માર્ચ, 1991ના રોજ જાહેર કરાયેલા ઑફિસ મેમોરેન્ડમ(OM) મુજબ નક્કી કરવામાં આવે છે. આ નિયમ હેઠળ ઓવરટાઇમ માટે સક્ષમ અધિકારીની મંજૂરી હોવી અનિવાર્ય છે. માત્ર કાર્યાલયમાં વધુ સમય બેસી રહેવાથી કે કામ કરવાથી આપમેળે OTAનો હક બનતો નથી. કર્મચારીની કેટેગરી અને સત્તાવાર મંજૂરી જેવા પરિબળો તેમાં અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
નોન-ગેઝેટેડ અને ગેઝેટેડ કર્મચારીઓ માટે વર્તમાન સ્થિતિ
નોન-ગેઝેટેડ કર્મચારીઓએ એ સમજવું જરૂરી છે કે તેમનું ભથ્થું જૂના લાગુ નિયમો મુજબ જ મળશે, જ્યાં સુધી સરકાર નવો સુધારો ન કરે. બીજી તરફ, રાજપત્રિત એટલે કે ગેઝેટેડ (Gazetted) કર્મચારીઓને હાલમાં જે રીતે ઓવરટાઇમ ભથ્થું મળતું નથી, તે જ સ્થિતિ યથાવત્ રહેશે. ગેઝેટેડ કર્મચારીઓ પણ વૅજ કોડની કલમ 14નો ઉપયોગ કરીને બમણા કે નવા ભથ્થાનો દાવો કરી શકશે નહીં.
કર્મચારીઓએ શું ધ્યાન રાખવું?
સરકારની આ સ્પષ્ટતાનો સીધો અર્થ એ છે કે નવો વૅજ કોડ અને કેન્દ્રીય કર્મચારીઓ માટેનું વર્તમાન OTAએ Central Govt Employees OTA: Code on Wages Will Not Double Overtime Allowance નવી કેટેગરીનો સમાવેશ કરશે, તો તેના માટે અલગથી સત્તાવાર નોટિફિકેશન કે આદેશ બહાર પાડવામાં આવશે.
15

