Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Who is Pulwama's Dr. Umar Mohammad? there is connection with Delhi car blast

કોણ છે પુલવામાનો ડૉ. ઉમર મોહમ્મદ ? દિલ્હી કાર બ્લાસ્ટ સાથે છે કનેક્શન, જાણો અત્યાર સુધી શું થયું

Timeછેલ્લું અપડેટ : 11 Nov 2025
લાઇવ ટીવીGoogle News
કોણ છે પુલવામાનો ડૉ. ઉમર મોહમ્મદ ? દિલ્હી કાર બ્લાસ્ટ સાથે છે કનેક્શન, જાણો અત્યાર સુધી શું થયું
સોર્સ : google

સોમવારે સાંજે રાજધાની દિલ્હી કાર બ્લાસ્ટથી હચમચી ઉઠી હતી. લાલ કિલ્લા પાસે આ વિસ્ફોટ થયો હતો, જેમાં નવ લોકો માર્યા ગયા હતા. આ બ્લાસ્ટનું ફરીદાબાદ અને પુલવામા વચ્ચે કનેક્શન સામે આવ્યુ છે. સૂત્રો અનુસાર જે હ્યુન્ડાઈ i20 કારમાં વિસ્ફોટ થયો તે પુલવામાનો ડૉ. ઉમર મોહમ્મદ ચલાવી રહ્યો હતો, જે ફરીદાબાદમાં વિસ્ફોટકોનો જથ્થો જપ્ત થયા પછી ફરાર હતો. વિસ્ફોટમાં વપરાયેલી કાર ખરીદનાર પુલવામાનો રહેવાસી તારિક પણ ઝડપાયો છે. .

App Store

ગુપ્ત એજન્સીઓને શંકા છે કે ડૉ. ઉમર મોહમ્મદ વિસ્ફોટમાં વપરાયેલી I-20 કારમાં હતો. જો કે, પોલીસ મૃતક કાર સવારનો ડીએનએ ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે જેથી નક્કી કરી શકાય કે કારમાં  ખરેખર ડૉ. ઉમર મોહમ્મદ હતો કે નહીં. ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલમાં સામેલ આતંકવાદી ડૉ. ઉમર મોહમ્મદ ફરાર હતો. પ્રારંભિક તપાસ પછી, એવી શંકા છે કે તેના સાગરિતોની ધરપકડ થયા પછી ઉમર ગભરાઈ ગયો હતો. હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસને એવી શંકા છે કે ઉમર મોહમ્મદ કાર ચલાવી રહ્યો હતો. 

સોમવારે સાંજે 6:51 વાગ્યે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક પાર્કિંગમાં એક કારમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેમાં નવ લોકો માર્યા ગયા હતા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે 200-300 મીટરની ત્રિજ્યામાં બધું જ હલી ગયું. વિસ્ફોટમાં વપરાયેલી કારનો હરિયાણા રજિસ્ટ્રેશન નંબર હતો. તે જ સવારે હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં લગભગ 2,900 કિલો વિસ્ફોટકો અને શસ્ત્રો મળી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર સોનેરી મસ્જિદના પાર્કિંગમાં બપોરે 3:19 વાગ્યે HR 26 નંબરની એક કાર પાર્ક કરવામાં આવી હતી અને સાંજે 6:48 વાગ્યે નીકળી ગઈ હતી. CCTV ફૂટેજમાં કાર પાર્કિંગમાંથી બહાર નીકળતી દેખાઈ રહી છે. ધીમી ગતિએ જતી કાર લાલ બત્તી પર અટકી ગઈ અને સાંજે 6:51 વાગ્યે એક શક્તિશાળી વિસ્ફોટ થયો. ઘાયલોને તાત્કાલિક LNJP અને હિન્દુજા રાવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

દિલ્હી પોલીસે લાલ કિલ્લા વિસ્ફોટનો કેસ UAPA હેઠળ નોંધ્યો છે.  વિસ્ફોટક પદાર્થો કાયદા હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હત્યા અને હત્યાના પ્રયાસનો પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચા સાથે વાત કરી હતી.

હરિયાણાના નંબરવાળી હ્યુન્ડાઇ i20 કાર અનેક લોકોને વેચાઈ હતી. દેવેન્દ્ર, ઉમર અને તારિકના નામ બહાર આવ્યા છે. દિલ્હી પોલીસે કાર માલિક મોહમ્મદ સલમાનની અટકાયત કરી અને પૂછપરછ કરી. તેણે દોઢ વર્ષ પહેલા ઓખલામાં દેવેન્દ્ર નામના વ્યક્તિને વાહન વેચ્યું હતું. આ કાર બાદમાં અંબાલામાં કોઈને અને પછી પુલવામામાં તારિકને  વેચી દેવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસે તારિકની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે.

જમ્મુ અને કાશ્મીર પોલીસ ઉપરાંત, અન્ય ઘણા રાજ્યોની પોલીસ અને વિશેષ એજન્સીઓ પણ સામેલ હતી. દિલ્હી પોલીસ, સ્પેશિયલ સેલ, ક્રાઈમ બ્રાન્ચ, NSI, NIA, FSL, UP ATS, હરિયાણા પોલીસ, ગુજરાત પોલીસ અને IB પણ તપાસમાં સામેલ છે.