VIDEO: પ. બંગાળ/ વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજ્યંતિની કરાઈ ઉજવણી, સિલીગુડીના મેયરે આપી શ્રદ્ધાંજલિ
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળમાં વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સિલીગુડીના પ્રસિદ્ધ બાગાજતીન પાર્ક ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં સિલીગુડીના મેયરે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ આપી હતી. મેયરની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય અધિકારીઓ અને સ્થાનિક કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રવીન્દ્ર સંગીત અને નૃત્યના કાર્યક્રમો દ્વારા ગુરુદેવના સાહિત્યિક પ્રદાનને યાદ કરવામાં આવ્યું હતું. મેયરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ટાગોરના વિચારો અને તેમની રચનાઓ આજે પણ સમાજ માટે પ્રેરણાના સ્ત્રોત છે. સમગ્ર બાગાજતીન પાર્ક પરિસર બંગાળી સંસ્કૃતિ અને શ્રદ્ધાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.

