VIDEO/ તૂતીકોરિન: શંકર રામેશ્વરર મંદિરમાં ચિત્તરાઈ ઉત્સવનો ભવ્ય પ્રારંભ, ધ્વજારોહણ સાથે મહોત્સવ શરૂ
સોર્સ : GSTV
તમિલનાડુના તૂતીકોરિનમાં પ્રખ્યાત શંકર રામેશ્વરર મંદિર ખાતે આજથી વાર્ષિક ચિત્તરાઈ ઉત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે મંદિરના સુવર્ણ સ્તંભ પર પવિત્ર ધ્વજ લહેરાવીને મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ દિવ્ય ક્ષણના સાક્ષી બન્યા હતા. ધ્વજારોહણ બાદ હવે દરરોજ ભગવાનના વિશેષ અભિષેક અને શોભાયાત્રા યોજાશે. મહોત્સવના અંતિમ દિવસોમાં ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે, જેમાં હજારો ભક્તો જોડાશે.

