VIDEO/ તમિલનાડુમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક 23 પર પહોંચ્યો
સોર્સ : GSTV
તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં રવિવારે એક ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 23 થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે ફેક્ટરીમાં અંદાજે 30 મજૂરો કામ કરી રહ્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 19 મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે, જેમાં 16 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલા 6 લોકોને હાલ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફેક્ટરીના આગળના ભાગમાં જ્યાં મજૂરો દારૂગોળા સાથે કામ કરી રહ્યા હતા ત્યાં વિસ્ફોટ થયો હતો. તંત્રએ આ મામલે એફઆઈઆર નોંધીને તપાસ તેજ કરી છે અને સમગ્ર ઘટનાની દેખરેખ માટે એક વરિષ્ઠ આઈએએસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.

