VIDEO/ તેલંગાણાને મળશે મોટી સોગાદ: PM મોદી હૈદરાબાદમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને જનસભાને સંબોધશે
સોર્સ : GSTV
વડાપ્રધાન મોદી ૧૦ મેના રોજ કર્ણાટક અને તેલંગાણાના પ્રવાસે જશે. ૧૧ વાગ્યે તેઓ બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગની સ્થાપનાના 45માં વર્ષગાંઠ સમારોહમાં ભાગ લેશે. ત્યારબાદ હૈદરાબાદ પહોંચીને તેઓ લગભગ ૯ હજાર ૫૦૦ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ રસ્તા, લોજિસ્ટિક્સ, કાપડ, રેલ્વે અને ઉર્જા ક્ષેત્રોમાં છે. તેઓ સિંધુ હોસ્પિટલને રાષ્ટ્રને સમર્પિત પણ કરશે. હૈદરાબાદમાં ભાજપની જાહેરસભાને સંબોધિત કરશે. પીએમ મોદીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આ કાર્યક્રમોની માહિતી આપી છે.

