VIDEO: ગુવાહાટી: અંબુબાચી મેળો સંપન્ન થતાં મા કામાખ્યા મંદિરના દ્વાર ખૂલ્યા, દેશભરમાંથી લાખો ભક્તો દર્શન માટે ઉમટ્યા.
સોર્સ : GSTV
આસામના ગુવાહાટીમાં આવેલ પ્રસિદ્ધ શક્તિપીઠ મા কাમાખ્યા મંદિરના કપાટ ત્રણ દિવસ બંધ રહ્યા બાદ આજે શ્રદ્ધાળુઓ માટે ફરી ખોલી દેવામાં આવ્યા છે. વાર્ષિક 'અંબુબાચી મેળા' અંતર્ગત દેવીના માસિક ધર્મની પરંપરાને કારણે ૨૨ જૂનની રાતથી મંદિરનો ગર્ભગૃહ બંધ રાખવામાં આવ્યો હતો. આજે સવારે પરંપરાગત નિત્ય પૂજા અને શુદ્ધિકરણ વિધિ બાદ મંદિરના દ્વાર ખૂલતા જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સાધુ-સંતો, તાંત્રિકો અને દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ મા કામાખ્યાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ભક્તોને પ્રસાદ તરીકે પવિત્ર 'અંગ વસ્ત્ર' આપવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને ભીડ નિયંત્રણ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

