VIDEO: સત્ય નિકેતન બિલ્ડિંગ દુર્ઘટના બાદ કડક પગલાંની CM રેખા ગુપ્તાની જાહેરાત
સોર્સ : gstv
દિલ્હીના સત્ય નિકેતન ખાતે જર્જરિત ઇમારત ધરાશાયી થવાની ઘટના અંગે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પ્રતિક્રિયા આપી હતી...જેમા તેમણે જણાવ્યું હતું કે બેઝમેન્ટમાં પાણી ભરાવા અને મરામતના કામને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. અત્યાર સુધીમાં કાટમાળમાંથી ૧૨ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં દુર્ભાગ્યવશ છ લોકોના મોત થયા છે જ્યારે અન્ય છ સુરક્ષિત છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે આવી કોઈ પણ જોખમી ઇમારત છોડવામાં આવશે નહીં અને તમામ જૂની ઇમારતો માટે સ્ટ્રક્ચરલ ઓડિટ ફરજિયાત બનાવતી નવી નીતિ લાગુ કરવામાં આવશે. સેફ્ટી સર્ટિફિકેટ વગર પીજી કે અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ ચલાવી શકાશે નહીં. આ ગંભીર લાપરવાહી બદલ જવાબદાર અધિકારીઓ સામે ત્વરિત સસ્પેન્શનના આદેશો આપવામાં આવ્યા છે અને સરકારે પીડિત વિદ્યાર્થીઓને તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે.

