VIDEO/ મમતા બેનર્જીએ રાજીનામું આપવાની ના પાડી, 9 મેના રોજ નવી સરકારના શપથ!
સોર્સ : GSTV
પંજાબના ચંદીગઢમાં શહીદ ભગતસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડ થયા પછી થોડીવારમાં જ એક મુસાફરની પાવર બેંકમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનાથી મુસાફરોમાં ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે તાત્કાલિક કાર્યવાહી કરીને મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ, આ ઘટનામાં પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. પાવર બેંક બ્લાસ્ટ થતાં ફ્લાઈટની કેબિનમાં થોડીક આગ લાગી હોવાનું જણાય છે. તાત્કાલિક અસરથી કેબિન ક્રૂએ આગ ઓલવવાના સાધનોનો ઉપયોગ કરીને આગ બુઝાવી દીધી હતી. આ દુર્ઘટના બાદ ફ્લાઈટમાં ધુમાડો ફરાઈ જતાં મુસાફરો ગભરાયા હતા. જો કે, તરત મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

