VIDEO/ કેદારનાથ ધામમાં શ્રદ્ધાનો ઘોડાપૂર: અત્યાર સુધીમાં ૨ લાખથી વધુ ભક્તોએ કર્યા બાબાના દર્શન
સોર્સ : GSTV
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં સ્થિત શ્રી કેદારનાથ ધામના દ્વાર ખુલ્યા ત્યારથી અત્યાર સુધીમાં ૨ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. વરસાદ અને કુદરતી પડકારો છતાં ભક્તોનો ઉત્સાહ અતૂટ જોવા મળી રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા ટોકન સિસ્ટમ, કતાર વ્યવસ્થા, પીવાનું પાણી અને શૌચાલય જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ અને સેક્ટર ઓફિસરની ટીમો સતત કાર્યરત છે, જેથી પ્રતિકૂળ સંજોગોમાં પણ યાત્રા સુરક્ષિત અને સુમધુર રીતે આગળ વધી શકે.

