VIDEO: બેદરકારીનો ભોગ: ૨૦૨૦થી ૨૦૨૪ વચ્ચે દેશમાં અસુરક્ષિત માળખાકીય સુવિધાઓને કારણે ૩૩,૦૦૦ લોકોનાં મોત
સોર્સ : gstv
દેશભરમાં વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન ઇમારતો ધરાશાયી થવા, આગ લાગવા અને ખાડા તથા મેનહોલમાં પડવાના બનાવોમાં અંદાજે 33 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના ડેટા અનુસાર, આ દુર્ઘટનાઓમાંથી મોટાભાગના મૃત્યુ શહેરી વિસ્તારોમાં થયા છે, જે નબળી માળખાકીય જાળવણી અને સલામતી નિયમોના અમલીકરણમાં ગંભીર ખામીઓ દર્શાવે છે...વાસ્તવિક આંકડો આનાથી ઘણો વધારે હોઈ શકે છે કારણ કે રસ્તાના ખાડાઓ અને દૂષિત પાણીથી થતા મૃત્યુનો સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ નથી. દિલ્હી અને ગુડગાંવ સહિતના વિસ્તારોમાં બનેલી ઘટનાઓ મ્યુનિસિપલ શાસનની કથળેલી સ્થિતિનો સ્પષ્ટ પુરાવો આપે છે.

