VIDEO: ટ્વિશા શર્મા મોત કેસમાં હોબાળો; દીકરીના પરિવારે નિવૃત્ત જજના પરિવાર સામે નોંધાવી ફરિયાદ
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક ગંભીર કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં તાજેતરમાં રહસ્યમય સંજોગોમાં જીવ ગુમાવનારી યુવતી ટ્વિશા શર્માના માતા-પિતાએ એક નિવૃત્ત ન્યાયાધીશના પરિવાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા . મૃતકના માતા-પિતાનો આરોપ છે કે નિવૃત્ત જજનો પરિવાર તેમની પુત્રીને લાંબા સમયથી માનસિક અને શારીરિક રીતે હેરાન પરેશાન કરી રહ્યો હતો, જેના કારણે જ તેણે આ અંતિમ પગલું ભરવું પડ્યું અથવા તેની સાથે કોઈ અઘટિત ઘટના ઘટી હતી .આ હાઈપ્રોફાઈલ મામલાને લઈને સ્થાનિક રહીશો અને પીડિત પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો ટ્વિશાના પરિવારે પોલીસ પ્રશાસન પાસે ન્યાયની ગુહાર લગાવી હતી અને નિવૃત્ત ન્યાયાધીશના વગદાર પરિવાર સામે કોઈ પણ જાતના દબાણ વગર નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મામલે કેસ નોંધીને તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી હતી

