VIDEO: ૨૦૨૯ પહેલાં ભાજપ શાસિત ૨૧ રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા લાગુ થશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
સોર્સ : gstv
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ભાજપની આગેવાની હેઠળની એનડીએ ગઠબંધનની સરકાર ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલાં 21 રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરશે. દેશે પોલિસી પેરાલિસિસ અને ગઠબંધનની મજબૂરીઓમાંથી મુક્તિ મેળવી છે. ૨૦૧૪ પહેલાં ભ્રષ્ટાચાર, જાતિવાદ અને વંશવાદથી પીડાતું રાજકારણ હવે કામગીરી આધારિત રાજકારણ તરફ આગળ વધ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

