VIDEO: ચૂંટણી પહેલાં કોંગ્રેસનો મોટો પ્લાન! રાહુલ ગાંધીના પંજાબ પ્રવાસ અને મેનિફેસ્ટોને લઈને મોટો ખુલાસો
દિલ્હી ખાતે કોંગ્રેસના સાંસદ અમર સિંહે આગામી ચૂંટણીઓની તૈયારીઓ અંગે મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું છે કે પાર્ટીએ ચૂંટણી લક્ષી રણનીતિ પર પૂરજોશમાં કામ શરૂ કરી દીધું છે.
મેનિફેસ્ટો કમિટીની પ્રથમ બેઠક પૂર્ણ
અમર સિંહે જણાવ્યું કે કોંગ્રેસ એક ઉદારવાદી પક્ષ છે અને જનહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપે છે. તેમણે વિગતો આપતાં કહ્યું કે, ચૂંટણી આડે હજુ 4-5 મહિનાનો સમય બાકી છે, પરંતુ કોંગ્રેસે અત્યારથી જ પાયાનું કામ શરૂ કરી દીધું છે. મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ તરીકે તેમણે મેનિફેસ્ટો તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને આ સંદર્ભે પ્રથમ બેઠક પણ યોજાઈ ચૂકી છે.
રાહુલ ગાંધીનો પંજાબ પ્રવાસ
ચૂંટણી પ્રચાર અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પંજાબ પ્રવાસનો કાર્યક્રમ પણ ઘડવામાં આવી રહ્યો છે. પાર્ટી આગામી ચૂંટણીઓમાં મજબૂત એજન્ડા સાથે જનતા સમક્ષ જવા માટે સંપૂર્ણ સજ્જ થઈ રહી છે.

