VIDEO: નવી દિલ્હીમાં તહસીન પૂનાવાલાના નેતૃત્વમાં ટીમ ભારત દ્વારા વાહનો પર ઇથેનોલ-બ્લેન્ડેડ ઇંધણની અસરો અંગે ચિંતા વ્યક્ત કરાઈ
સોર્સ : gstv
નવી દિલ્હીમાં તહસીન પૂનાવાલાના નેતૃત્વ હેઠળ ટીમ ભારત દ્વારા વાહનો પર ઇથેનોલ-મશ્રિત ઇંધણના કારણે થતી પ્રતિકૂળ અસરો અંગેના ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા . સંગઠને ખાસ કરીને જૂના અને સામાન્ય ગ્રાહકોના વાહનોના એન્જિનની ટકાઉક્ષમતા, કાર્યક્ષમતા અને મેઇન્ટેનન્સ ખર્ચમાં થતા વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી .તહસીન પૂનાવાલાએ સરકારને આ નીતિની ગ્રાહકો અને વાહન માલિકો પર પડતી આર્થિક અસરોની તકનીકી સમીક્ષા કરવા વિનંતી કરી હતી . ગ્રાહકોના અધિકારોના રક્ષણ માટે ઇંધણના આ મિશ્રણ અંગે વધુ પારદર્શિતા અને વૈજ્ઞાનિક સંશોધનની માંગ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અગ્રણી ઓટોમોબાઈલ નિષ્ણાતો અને કાર્યકરોએ પણ હાજરી આપી હતી.

