VIDEO: રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનો SITની પુનઃરચનાનો આદેશ
સોર્સ : gstv
રામ મંદિર દાન કેસની તપાસને લઈને સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર પાસે માહિતી માંગી છે. કોર્ટે સોલિસિટર જનરલને પૂછ્યું છે કે શું તપાસ માટે રચાયેલી SITનું પુનર્ગઠન કરી શકાય છે. CJI સૂર્યકાંતે કહ્યું કે તપાસનું નેતૃત્વ કોઈ અનુભવી સિનિયર IPS અધિકારી કરે તે યોગ્ય રહેશે. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને આ મામલાનું રાજકીયકરણ ન કરવાની સલાહ આપી છે. કોર્ટે કહ્યું કે આ સીધો ગુનાહિત મામલો છે અને તેનો યોગ્ય રીતે તપાસ થવી જરૂરી છે. સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે આરોપોની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે અને પોલીસ તપાસ ચાલી રહી છે. હવે આ મામલે આગામી સુનાવણી 27 જુલાઈએ થશે.

