VIDEO: શુભેન્દુ અધિકારીના ડ્રાઈવરની સર્જરી કરાઈ, હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
સોર્સ : gstv
ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના પીએમ ચંદ્રનાથ રથની હત્યા બાદ તેમના ડ્રાઈવર બુદ્ધદેવ બેરાની સર્જરી કરવામાં આવી છે અને હાલ તેમની સ્થિતિ અપોલો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર સ્થિર હોવાનું જણાવાયું છે, જ્યાં પોલીસ કાફલો પણ હાજર છે. હોસ્પિટલ પહોંચેલા સુવેન્દુ અધિકારીએ આ ઘટનાને પ્લાન્ડ મર્ડર ગણાવી કાર્યકરોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને બંગાળમાં ગુંડાઓના સફાયાની ચેતવણી આપી છે.
બીજી તરફ, ટીએમસીએ આ હત્યામાં પોતાના કાર્યકરોની સંડોવણીના આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે અને આખા મામલાની નિષ્પક્ષ સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ ઘટનાને પગલે બંગાળના રાજકારણમાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે અને પોલીસ તંત્ર દ્વારા આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે.

