Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Shocking news about Trinamool Congress, names of 19 MPs who rebelled against Mamata Banerjee surfaced

તૃણમૂલ કોંગ્રેસને લઈ ચોંકાવનારા સમાચાર, મમતા બેનર્જી બળવાખોર કરનારા 19 સાંસદના નામ આવ્યા સામે

Timeછેલ્લું અપડેટ : 10 Jun 2026
લાઇવ ટીવીGoogle News
તૃણમૂલ કોંગ્રેસને લઈ ચોંકાવનારા સમાચાર, મમતા બેનર્જી બળવાખોર કરનારા 19 સાંસદના નામ આવ્યા સામે
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મમતા બેનર્જી સામે બગાવત કરનારા ટીએમસીના 19 લોકસભા સાંસદોની સત્તાવાર યાદી સાર્વજનિક થઈ ગઈ છે. આ યાદીમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને રાજનેતા શત્રુઘ્ન સિન્હા તેમજ ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ક્રિકેટર યુસુફ પઠાણ જેવા મોટા અને હાઈપ્રોફાઈલ નામો સામેલ છે. આ અહેવાલે પશ્ચિમ બંગાળ અને દિલ્હીના રાજકારણમાં ભારે સસ્પેન્સ અને ઉત્તેજના વધારી દીધી છે.

App Store

મળતી વિગતો અનુસાર, પક્ષના ધારાસભ્યો બાદ હવે ખૂબ જ મોટી સંખ્યામાં ટીએમસીના લોકસભા સાંસદો પણ મમતા બેનર્જીના નેતૃત્વ સામે બળવાખોર બન્યા છે. આ તમામ 19 સાંસદોએ સંસદમાં પોતાનું એક અલગ સંસદીય જૂથ (Separate Parliamentary Group) બનાવવા માટે લોકસભા સ્પીકર ઓમ બિરલાને સહીઓ સાથેનો સત્તાવાર પત્ર સોંપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, આ મામલે તૃણમૂલ કોંગ્રેસના મોવડીમંડળ કે મમતા બેનર્જી જૂથ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે વિગતવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના આ 19 સાંસદો બન્યા બળવાખોર:

સામે આવેલી સત્તાવાર યાદી મુજબ, મમતા બેનર્જીની ચિંતા વધારનારા અને એનડીએ (NDA) તરફ ઝુકાવ ધરાવતા ટીએમસીના બળવાખોર સાંસદો અને તેમના મતવિસ્તારની વિગતો નીચે મુજબ છે:

કાકોલી ઘોષ દસ્તીદાર (બારાસાત)

જગદીશ ચંદ્ર બસુનિયા (કૂચબિહાર)

ખલીલુર રહેમાન (જંગીપુર)

યુસુફ પઠાણ (બહરામપુર)

અબુ તાહિર ખાન (મુર્શિદાબાદ)

પાર્થ ભૌમિક (બેરકપુર)

બાપી હલદાર (મથુરાપુર)

સાયોની ઘોષ (જાદવપુર)

માલા રોય (કોલકાતા દક્ષિણ)

મિતાલી બાગ (આરામબાગ)

દીપક અધિકારી - દેવ (ઘાટાલ)

કાલીપદ સોરેન (ઝાડગ્રામ)

જૂન માલિયા (મેદિનીપુર)

અરૂપ ચક્રવર્તી (બાંકુડા)

ડો. શર્મિલા સરકાર (વર્ધમાન પૂર્વ)

શત્રુઘ્ન સિન્હા (આસનસોલ)

અસિત કુમાર માલ (બોલપુર)

શતાબ્દી રોય (બીરભૂમ)

રચના બેનર્જી (હુગલી)

મમતા બેનર્જી સરકાર અને પક્ષ માટે અસ્તિત્વની લડાઈ

જો આ બળવાખોર સાંસદોનો દાવો સો ટકા સાચો સાબિત થશે, તો તે ટીએમસીના ઇતિહાસનો સૌથી મોટો અને ન ભરી શકાય તેવો રાજકીય ફટકો હશે. સંસદીય નિયમો મુજબ, ટીએમસીના કુલ 28 લોકસભા સાંસદોમાંથી બે-તૃતીયાંશ (2/3) એટલે કે ઓછામાં ઓછા 19 સાંસદો એકસાથે અલગ જૂથ બનાવે તો જ, તેમનું સભ્યપદ બચી શકે છે. આ યાદીમાં બરાબર 19 સાંસદોના નામ હોવાથી તેઓ કાયદાકીય રીતે સુરક્ષિત થઈ શકે છે. હાલમાં સમગ્ર દેશની નજર આ યાદીમાં સામેલ સાંસદોની વ્યક્તિગત પ્રતિક્રિયાઓ અને મમતા બેનર્જીના આગામી રાજકીય પગલાં પર ટકેલી છે.