VIDEO: ઉજ્જૈનમાં શિપ્રા નદીના પૂર
સોર્સ : gstv
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે શિપ્રા નદીના જળસ્તરમાં જોરદાર વધારો થયો છે. નદી કિનારે આવેલા પ્રખ્યાત રામ ઘાટની આસપાસના અનેક નાના-મોટા મંદિરો પાણીમાં ડૂબી ગયા છે. નદીનું રૌદ્ર સ્વરૂપ જોતા વહીવટી તંત્ર દ્વારા ઘાટ તરફ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભક્તો અને સ્થાનિક લોકોને નદી કિનારાથી દૂર રહેવાની કડક સૂચના આપવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ઘાટ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે અને પૂરની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

