VIDEO: લોન રિકવરી એજન્ટો અંગે આરબીઆઈએ માર્ગદર્શિકામાં કર્યા ફેરફાર, મળી રાહત
સોર્સ : gstv
લોન રિકવરી એજન્ટો દ્વારા ગ્રાહકોને થતી હેરાનગતિ અંગે RBI પોતાનું વલણ નરમ પાડતું દેખાય છે. ડ્રાફ્ટ માર્ગદર્શિકા પર પ્રતિસાદ બાદ ભારતીય રિઝર્વ બેંકે કેટલીક જોગવાઈઓમાં ફેરફાર કર્યા છે. હવે બેંકોએ વેબસાઇટ કે એપ પર માત્ર રિકવરી એજન્સીઓના નામ, સરનામું અને કાર્યક્ષેત્ર જાહેર કરવાના રહેશે, વ્યક્તિગત એજન્ટોની વિગતો જરૂરી નથી. પૃષ્ઠભૂમિ તપાસ પ્રક્રિયા સરળ બનાવી છે અને એજન્ટો ભૌતિક IDને બદલે ડિજિટલ દસ્તાવેજો લઈ શકશે. આ ફેરફારોથી એજન્સીઓ અને બેંકોને રાહત મળી છે, જ્યારે ગ્રાહકો માટે એજન્ટની ઓળખ મુશ્કેલ બની શકે છે.

