Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rambhadracharya lashed out at Mohan Bhagwat

VIDEO: 'તેઓ કોઈ સંસ્થાના વડા હોઈ શકે, હિંદુ ધર્મના નહીં', મોહન ભાગવત પર ભડક્યા રામભદ્રાચાર્ય

Timeછેલ્લું અપડેટ : 24 Dec 2024
લાઇવ ટીવીGoogle News
VIDEO: 'તેઓ કોઈ સંસ્થાના વડા હોઈ શકે, હિંદુ ધર્મના નહીં', મોહન ભાગવત પર ભડક્યા રામભદ્રાચાર્ય

સંઘ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પર સંત સમાજ ગુસ્સે ભરાયો છે. આ દરમિયાન જગદગુરુ રામભદ્રાચાર્યે ફરી એકવાર સંઘ પ્રમુખના નિવેદન સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. મુંબઈમાં જગદગુરુ રામભદ્રાચાર્યે કહ્યું, "...તેઓ કોઈ સંસ્થાના વડા હોઈ શકે છે પરંતુ હિન્દુ ધર્મના વડા નથી કે આપણે તેમનું પાલન કરીએ. તેઓ અમારા અનુશાસનવાદી રહ્યા છે, અમે તેમને અનુસરીને ચાલી શકીએ નહીં. હું વીસ વખત કહું છું કે તે હિન્દુ ધર્મની વ્યવસ્થાના ઠેકેદાર નથી. હિન્દુ ધર્મની વ્યવસ્થા હિન્દુ ધર્મના આચાર્યોના હાથમાં છે. સમગ્ર ભારતના તે પ્રતિનિધિ પણ નથી.

App Store

આ પણ વાંચોઃ VIDEO: ભોપાલમાં જૂથ અથડામણમાં 6 ઈજાગ્રસ્ત, પથ્થરમારો અને ખુલ્લી તલવારો સાથે નીકળી પડ્યા યુવકો

જગદગુરુ રામભદ્રાચાર્યએ એમ પણ કહ્યું હતું કે, જે આપણી ઐતિહાસિક વસ્તુઓ છે તે આપણને મળવી જોઈએ અને આપણે તે લેવી જોઈએ. પછી ગમે તે રીતે મળે. આ માટે સામ, દામ, દંડ, ભેદની નીતિ કેમ ન અપનાવવી પડે. રામભદ્રાચાર્ય ઉપરાંત અન્ય ઘણા સંતોએ પણ મોહન ભાગવતના નિવેદનની ટીકા કરી છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ દરેક જગ્યાએ મંદિરો શોધવાની પરવાનગી આપી ન શકાય તે મુદ્દે ભાગવતે આપેલા નિવેદનની ટીકા કરી છે. 

મોહન ભાગવતે કહ્યું હતુંકે,  “જેઓ દેખાડો કર્યા વિના સતત સેવા કરે છે, તે સેવા કરવાની ઇચ્છા રાખે છે. સેવા ધર્મનું પાલન કરતી વખતે આપણે અતિવાદી ન બનવું જોઈએ. દેશની પરિસ્થિતિ અનુસાર મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ. માનવ ધર્મ એ બ્રહ્માંડનો ધર્મ છે અને તે સેવાના માધ્યમથી પ્રગટવો જોઈએ. આપણે વિશ્વશાંતિની જાહેરાતો કરીએ છીએ પરંતુ અન્ય જગ્યાએ લઘુમતીઓની સ્થિતિ શું છે? આના પર ધ્યાન આપવું જરૂરી છે. પેટ ભરવા માટે જે જરૂરી હોય તે કરવું જોઈએ, પરંતુ ઘર- ગૃહસ્થીથી પર આપણને જે કંઈ મળ્યું તેનાથી બમણું સેવાના રૂપમાં આપવું જોઈએ.