VIDEO : 'PM મોદી કેરળમાં આવી હિન્દુ ધર્મની વાતો કરે છે પરંતુ સબરીમાલા...', રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર
સોર્સ : gstv
લોકસભા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેરલમાં ચૂંટણી પ્રચાર કરતા જનસભાને સંબોધતા કહ્યું કે, દિલ્હીમાં એક એવો માણસ છે જે વિચારે છે કે તેમના સિવાય ભારતનું નેતૃત્વ કરનાર કોઈ નથી, જેને મોદી કહેવામાં આવે છે. કેરળમાં એક એવો માણસ છે જે વિચારે છે કે કેરળમાં તેમના સિવાય કેરળનું નેતૃત્વ કરનાર કોઈ નથી. આ લોકોમાં ઘમંડ તો જુઓ..
રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ એકમાત્ર એવા લોકો છે જે કેરળ અને દેશનું નેતૃત્વ કરી શકે છે. તે બંને ભાગીદારીમાં છે. તેઓ એકબીજાને ટેકો આપી રહ્યા છે. વડાપ્રધાન મોદી અહીં આવે છે, અને દરેક ભાષણમાં તેઓ ભગવાન, હિન્દુ ધર્મ વિશે વાત કરે છે. પરંતુ કેરળમાં તેઓ સબરીમાલા અને સબરીમાલામાંથી ચોરાયેલા સોના વિશે વાત કરતા નથી.

