VIDEO: મમતા બેનરજી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, હાઈકોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ
સોર્સ : gstv
મમતા બેનરજી અને પશ્ચિમ બંગાળ તૃણમૂલ છાત્ર પરિષદ ના આયોજકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. કોલકાતાના કેથેડ્રલ રોડ પર આયોજિત WBTMCPના સ્થાપના દિવસ કાર્યક્રમ દરમિયાન કલકત્તા હાઈકોર્ટના આદેશનો કથિત રીતે અનાદર કરવા બદલ પોલીસે મમતા બેનરજી અને WBTMCPના આયોજકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, હેસ્ટિંગ્સ પોલીસ સ્ટેશને BNSની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસ હેસ્ટિંગ્સ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર આપુ વૈદ્યની લેખિત ફરિયાદના આધારે દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ આયોજકો સાથે મળીને ગુનાહિત કાવતરું ઘડી કલકત્તા હાઈકોર્ટ દ્વારા પાસ કરવામાં આવેલા આદેશનું ઉલ્લંઘન કર્યું હતું. મંજૂરી અનુસાર, આ કાર્યક્રમ બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી જ યોજવાનો હતો.

