VIDEO: દિલ્હીમાં પાન મસાલાના પ્લાસ્ટિક પેકેજિંગ પર પ્રતિબંધ
સોર્સ : gstv
દિલ્હીમાં પાન મસાલાના પ્લાસ્ટિક પેકેજિંગ પર પ્રતિબંધને લઈને નવા નિયમો અમલમાં આવ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે FSSAIએ પાન મસાલાના પેકિંગ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની સૂચના આપી છે. હવે પાન મસાલા માટે પેપર, ટિન અથવા કાચના પેકેજિંગનો ઉપયોગ કરવો પડશે. નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓ દ્વારા દુકાનોમાં તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. પેકેજિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ઉત્પાદકો અને વેચાણકારો સામે કાર્યવાહી થઈ શકે છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક કચરો ઘટાડવા અને પર્યાવરણને નુકસાન અટકાવવાનો છે. દુકાનોમાંથી નિયમોના પાલનની દૃશ્યો પણ સામે આવ્યા છે.

