Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Not only Tahawwur, but also Mallya and Nirav Modi are among the most wanted

તહવ્વુર જ નહીં, માલ્યા- નીરવ મોદી સહિત આ મોસ્ટ વોન્ટેડ, ભાગેડુઓના પ્રત્યાર્પણ માટે ભારત કરે છે પ્રયાસ

Timeછેલ્લું અપડેટ : 25 Jan 2025
લાઇવ ટીવીGoogle News
તહવ્વુર જ નહીં, માલ્યા- નીરવ મોદી સહિત આ મોસ્ટ વોન્ટેડ, ભાગેડુઓના પ્રત્યાર્પણ માટે ભારત કરે છે પ્રયાસ

તહવ્વુર હુસૈન રાણાને 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં તેની ભૂમિકા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. અમેરિકન સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારતને સોંપી દેવા મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય સાથે ભારત માટે આ આતંકવાદી માસ્ટરમાઇન્ડને ન્યાય અપાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

App Store

આ પણ વાંચોઃ Republic Day 2025: પ્રજાસત્તાક દિને વિરતા પુરસ્કારનું એલાન, 942 જવાનોને મળશે મેડલ

આ સિવાય ભારત અન્ય ઘણા ગુનેગારોને પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ તમામ લોકો કાયદાથી બચવા માટે ભારત ફરાર થઈ ગયા છે. ગયા મહિને, સરકારે કહ્યું હતું કે આ તમામ ફરાર ગુનેગારોમાંથી 1/3 યુએસમાં છુપાયેલા છે, જે હવે ગુનેગારો અને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રય માનવામાં આવે છે.


તહવ્વુર હુસૈન રાણા

રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન છે. મુંબઈ હુમલામાં તેની ભૂમિકા માટે તે ભારતમાં વોન્ટેડ છે. આ હુમલામાં 160થી વધુ લોકો માર્યા ગયા હતા. તે પાકિસ્તાન આર્મીમાં ડૉક્ટર પણ રહી ચૂક્યો છે. તેને 2008ના હુમલા વિશે અગાઉથી જાણકારી હતી. આતંકવાદી કાવતરાના આરોપમાં 2009માં ડેનમાર્કમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. યુએસ સુપ્રીમ કોર્ટે હવે તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે.

અર્શ દલ્લા

ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ગિલ ઉર્ફે અર્શ દલ્લા પ્રતિબંધિત સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો વડા છે. તે આ દિવસોમાં કેનેડામાં છે. તે ભારતમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને આતંકવાદી ઘટનાઓના 50થી વધુ કેસમાં વોન્ટેડ છે. ભારત તેને પાછો લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેને ડિસેમ્બરમાં જામીન મળી ગયા હતા.

અનમોલ બિશ્નોઈ

અનમોલ બિશ્નોઈ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનો નાનો ભાઈ છે. તે ભારતમાં અનેક હાઈ-પ્રોફાઈલ કેસમાં વોન્ટેડ છે. તે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા અને રાજકારણી બાબા સિદ્દીકીની હત્યામાં પણ સામેલ હોવાનું માનવામાં આવે છે. નવેમ્બર 2023માં, તેની ગેરકાયદેસર દસ્તાવેજો સાથે અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ દિલ્હીએ પ્રત્યાર્પણની કોઈ શક્યતા વ્યક્ત કરી નથી.

વિજય માલ્યા

લિકર બિઝનેસમેન વિજય માલ્યા 9,000 કરોડ રૂપિયાના લોન ડિફોલ્ટ કેસમાં ભારતમાં વોન્ટેડ છે. માલ્યા 2016માં ભારત છોડીને બ્રિટન ગયો હતો. તેમનું પ્રત્યાર્પણ એ લાંબી કાનૂની લડાઈનો એક ભાગ છે જે હજુ પણ સમાપ્ત થવાની શક્યતા નથી. ગયા વર્ષે સીબીઆઈ કોર્ટે તેમને નવા કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.

નીરવ મોદી

હીરાનો વેપારી નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સીની રૂ.14,000 કરોડની PNB લોન ફ્રોડ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. તેઓ આ દિવસોમાં બ્રિટનમાં છે. નીરવ મોદીની વર્ષ 2018માં લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે યુકેની જેલમાં છે. અત્યાર સુધી તેને ભારત પ્રત્યાર્પણ સામેની તેની તમામ અરજીઓમાં કોઈ પરિણામ મળ્યું નથી. જયારે મેહુલ ચોક્સી હાલમાં એન્ટિગુઆમાં છે.
 
આ સિવાય ભારત અન્ય ઘણા ગુનેગારોને પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમાં સંજય ભંડારીનું નામ પણ સામેલ છે, જેઓ આર્મ્સ ડીલ કન્સલ્ટન્ટ છે અને યુકેમાં રહે છે. સંજય ભંડારી સામે ટેક્સ ચોરી અને મની લોન્ડરિંગના આરોપો છે. મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર પણ વર્ષ 2023માં દુબઈમાં ધરપકડ થયા બાદ મની લોન્ડરિંગના આરોપ હેઠળ પ્રત્યાર્પણ સામે લડી રહ્યો છે.