Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Nepal PM Baleen Shah to visit India on first foreign visit, India becomes‘ Troubadour ‘amidst floods

પહેલા વિદેશ પ્રવાસે ભારત આવશે નેપાળના PM બાલેન શાહ, જળપ્રલય વચ્ચે ભારત બન્યું ‘સંકટમોચક’

Timeછેલ્લું અપડેટ : 28 Aug 2026
લાઇવ ટીવીGoogle News
પહેલા વિદેશ પ્રવાસે ભારત આવશે નેપાળના PM બાલેન શાહ, જળપ્રલય વચ્ચે ભારત બન્યું ‘સંકટમોચક’
સોર્સ : gstv

નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર ઉર્ફે બાલેન શાહ (Balen Shah) પોતાના કાર્યકાળની પ્રથમ વિદેશ યાત્રા ભારતની કરી શકે છે. નેપાળમાં ભયાનક પૂર (Flood) અને જળપ્રલય (Flash Flood) વચ્ચે આ માહિતી નેપાળના નાણામંત્રી સ્વર્ણિમ વાગલેએ આપી છે. તેમના જણાવ્યા અનુસાર બાલેન શાહની ભારત મુલાકાત (India Visit) આ વર્ષના અંત પહેલા યોજાવાની શક્યતા છે.

App Store

કાઠમંડુમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન નાણામંત્રી વાગલેએ જણાવ્યું કે વડાપ્રધાનની વિદેશ યાત્રાની તારીખ અંગે ચર્ચા ચાલી રહી છે. જોકે, તેમને પૂરો વિશ્વાસ છે કે પદ સંભાળ્યા બાદ બાલેન શાહનો પ્રથમ વિદેશ પ્રવાસ ભારતનો જ રહેશે.

જળપ્રલય વચ્ચે ભારતે નેપાળની કરી મદદ

બાલેન શાહના ભારત પ્રવાસ અંગેની આ માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે નેપાળ ભયાનક કુદરતી આફત (Natural Disaster) સામે ઝઝૂમી રહ્યું છે. નેપાળ-તિબેટ સરહદ (Nepal-Tibet Border) નજીક આવેલા પૂર અને મलबાના ભારે પ્રવાહે અનેક ગામો, રસ્તાઓ અને પુલોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 389 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 1,500 જેટલા લોકો હજુ પણ લાપતા છે.

આ મુશ્કેલ સમયમાં ભારતે નેપાળની મદદ માટે સૌથી પહેલા હાથ લંબાવ્યો છે. ભારતે સૈન્ય વિમાનો (Military Aircraft) દ્વારા પ્રથમ તબક્કામાં 10 ટન માનવતાવાદી સહાય (Humanitarian Aid) અને રાહત સામગ્રી મોકલી હતી. ત્યારબાદ વધુ 37.5 ટન રાહત સામગ્રી એરલિફ્ટ (Airlift) કરવામાં આવી છે. એટલે અત્યાર સુધીમાં કુલ 47.5 ટન રાહત સામગ્રી નેપાળ મોકલવામાં આવી છે.

PM મોદીએ બાલેન શાહ સાથે કરી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નેપાળની આ દુર્ઘટના અંગે બાલેન શાહ સાથે ફોન પર વાત કરી હતી. PM મોદીએ જાનહાનિ પર દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મુશ્કેલીની આ ઘડીમાં ભારતની જનતા નેપાળના લોકો સાથે એકજૂટ થઈને ઊભી છે. ભારતે બચાવ અને રાહત કામગીરી (Rescue and Relief Operations) માટે તમામ શક્ય મદદ આપવાની ખાતરી પણ આપી છે.

બાલેન શાહે ભારતનો માન્યો આભાર

ભારત તરફથી મળેલી તાત્કાલિક મદદ બદલ નેપાળના PM બાલેન શાહે નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતની એકતા, સંવેદના અને મદદની ઓફર બંને દેશો વચ્ચેના મજબૂત મિત્રતાના સંબંધોને દર્શાવે છે. ભારત-નેપાળના સંબંધોમાં આ માનવતાવાદી સહયોગ (Humanitarian Cooperation) મહત્વપૂર્ણ બની રહ્યો છે.