મોહન ભાગવતે યુવાનો સાથે સંવાદ કર્યો
સોર્સ : gstv
મહારાષ્ટ્રના મુંબઈમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે જનરેશન Z અને જનરેશન આલ્ફાના યુવાનો સાથે સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે યુવાનો સાથે વિવિધ સામાજિક, રાષ્ટ્રીય અને ભવિષ્ય સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મોહન ભાગવતે નવી પેઢીની વિચારધારા, ટેક્નોલોજીનો ઉપયોગ અને સમાજમાં તેમની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિવિધ પ્રશ્નો પણ પૂછ્યા હતા. આ સંવાદનો ઉદ્દેશ્ય નવી પેઢી સાથે જોડાણ વધારવાનો અને તેમના વિચારોને સમજવાનો હતો. મુલાકાતના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
આ પણ વાંચો :
ટોપિક્સ:GSTV NewsGujarati News

