VIDEO: ઋષિકેશમાં વૃક્ષો બચાવવા જનઆંદોલન શરૂ
સોર્સ : gstv
ઉત્તરાખંડના ઋષિકેશમાં દેહરાદૂન-ઋષિકેશ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભાનિયાવાલા અને રાનીપોખરી વચ્ચે પ્રસ્તાવિત રોડ પહોળો કરવાના પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકોએ મોરચો માંડ્યો છે. આ પ્રોજેક્ટ માટે સેંકડો લીલાછમ વૃક્ષો કાપવાની યોજના છે, જેને બચાવવા માટે સ્થાનિક રહેવાસીઓ રાત-દિવસ ઝાડની આસપાસ ચોકીદારી કરી રહ્યા છે. પર્યાવરણવિદ્ શિલ્પી અને અન્ય સક્રિય કાર્યકરોએ આ અંગે ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, વિકાસના નામે પર્યાવરણનો આવો વિનાશ સાંખી લેવામાં નહીં આવે. પર્યાવરણપ્રેમીઓ અને રહેવાસીઓ દ્વારા ચિપકો આંદોલનની તર્જ પર વૃક્ષોને ભેટીને અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, જેથી પ્રશાસનને આ વૃક્ષો કાપતા રોકી શકાય.

