VIDEO: ગણેશ ઉત્સવમાં ડીજે વગાડવા મુદ્દે મહાયુતિમાં મતભેદ
સોર્સ : gstv
મહારાષ્ટ્રમાં 14 સપ્ટેમ્બરથી શરૂ થતા ગણેશ ઉત્સવમાં ડીજેના ઉપયોગ અંગે મહાયુતિ ગઠબંધનમાં મતભેદો સામે આવવા લાગ્યા છે. ગણેશ ઉત્સવમાં ડીજેના ઉપયોગ અંગે ભાજપ, શિવસેના અને NCP આ ત્રણેય પક્ષોનો અલગ-અલગ મત છે 11 દિવસ સુધી ચાલનારા ગણેશ ઉત્સવમાં ડીજેના ઉપયોગ પર પ્રતિબંધની માંગણે આ મતભેદો ઊભા કર્યા છે. આ માંગ પુણેમાં ઉઠી છે, પરંતુ તેણે સમગ્ર મહારાષ્ટ્રના રાજકારણને પ્રભાવિત કર્યું છે. ગણેશ ઉત્સવમાં ડીજેના ઉપયોગ પર પ્રતિબંધની માંગથી પુણે અને અન્ય વિસ્તારોમાં રાજકીય તણાવ વધી ગયો છે, જ્યાં વિપક્ષે હાઈ-ડેસિબલ સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ સામે સખત કાર્યવાહીની માંગ કરી છે, તો બીજી તરફ સત્તાધારી મહાયુતિના સહયોગી પક્ષો BJP અને શિવસેના આ વિવાદમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે.

