ભારે હોબાળા વચ્ચે લોકસભા- રાજ્યસભા અનિશ્ચિત કાળ માટે સ્થગિત, ચોમાસું સત્રના છેલ્લા દિવસે પણ સરકાર-વિપક્ષ સામસામે

સંસદના ચોમાસુ સત્રનો આજે આખરી દિવસ છે. સંસદ પરિસરમાં સત્તા પક્ષ અને વિપક્ષ બંનેનું પ્રદર્શન જોવા મળ્યું હતું. સમગ્ર સત્ર દરમિયાન વિપક્ષ અને સરકાર વચ્ચે ટકરાવની સ્થિતિ રહી હતી. નીટની ગોટાળો, દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસના એક્શન અને રામ મંદિર ચંદા ચોરી જેવા મુદ્દાઓને લઈને લોકસભાની કાર્યવાહી વારંવાર અટકી હતી. ભારે હોબાળા વચ્ચે આખરે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. ગુરુવારે લોકસભાની કાર્યવાહી એક મિનિટ પણ ચાલી નહીં. સ્પીકર ઓમ બિરલાએ વંદે માતરમ ગવડાવ્યું અને ત્યારબાદ કાર્યવાહીને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી. લોકસભામાં મોદી-શાહ સહિત આખી કેબિનેટ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા.
સત્તા પક્ષ અને વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં આજે પણ વિરોધ પ્રદર્શન કર્યું. 20 જુલાઈથી શરૂ થયેલા સત્રમાં વિપક્ષ જંતર-મંતર પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને રામ મંદિરમાં ચોરીના મુદ્દાને લઈને સતત હોબાળો કરી રહ્યો છે. જ્યારે NDA સાંસદો ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં તેમના કાર્યક્રમ પછી થયેલા શુદ્ધિકરણનો મુદ્દો ઉઠાવ્યો. રાજયસભામાં MMDR સુધારા બિલ પસાર થયું. આ પછી કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી.
લોકસભામાં ગૂંજ્યું વંદે માતરમ્
લોકસભામાં કાર્યવાહી પૂરી થતા પહેલાં આખું ગૃહ વંદે માતરમ્ ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના તમામ સાંસદો ઊભા રહ્યા હતા. વંદે માતરમ્ બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ લોકસભાને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી હતી. સત્રના આખરી દિવસે પણ વિપક્ષી સાંસદોએ મકર દ્વારની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ખડગેના અપમાન પર હોબાળો
રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હલદ્વાનીની રેલી બાદ રામલીલા મેદાનના શુદ્ધિકરણના મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ પોતાના અનુસૂચિત જાતિના હોવાને મુદ્દો નથી બનાવતા, પરંતુ ભાષણ બાદ સ્ટેજનું શુદ્ધિકરણ કરીને તેમનું અપમાન કરવામાં આવ્યું છે. આ મુદ્દે ગૃહમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. જ્યારે બીજી તરફ ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું હતું કે સરકાર દરેક ચર્ચા માટે તૈયાર છે પરંતુ વિપક્ષ માત્ર હોબાળો કરવા માગે છે.
સ્પીકરની ચેમ્બરમાં બેઠક
લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત થયા બાદ લોકસભા સ્પીકરના ચેમ્બરમાં ચા પર ફ્લોર લીડર્સની મુલાકાત યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહ સહિતના એનડીએના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, કોંગ્રેસ કે અન્ય વિપક્ષી દળોમાંથી કોઈ નેતા આ બેઠકમાં પહોંચ્યા ન હતા. પોલીસે કડક કાર્યવાહી વચ્ચે હાલ સમગ્ર સંસદ પરિસરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

