VIDEO: જેપીએસસી ભરતી: ઝારખંડ હાઈકોર્ટે ૧૮ સપ્ટેમ્બર સુધીમાં સોગંદનામું દાખલ કરવા તાકિદ કરી
સોર્સ : gstv
ઝારખંડ હાઈકોર્ટે જેપીએસસી અને JSSC-CGL ભરતી પરીક્ષા મામલે રાજ્ય સરકાર પર નારાજગી વ્યક્ત કરી છે. નિર્ધારિત સમયમર્યાદામાં સોગંદનામું દાખલ ન કરવા પર કોર્ટે સરકારે માંગેલા ચાર અઠવાડિયાના વધારાના સમયને ફગાવી દીધો છે. કોર્ટે સરકારને આગામી ૧૮ સપ્ટેમ્બરે સવારે સાડા 10 વાગ્યા સુધીમાં જવાબ રજૂ કરવા માટેનો અંતિમ આદેશ આપ્યો છે. આ સાથે સીઆઈડી દ્વારા પરીક્ષામાં થયેલી અનિયમિતતાઓની તપાસ ચાલુ છે, ત્યારે હવે સૌની નજર કોર્ટની આગામી સુનાવણી પર ટકેલી છે.

