VIDEO: ભારે વરસાદથી જટાશંકર ધામમાં જળબંબાકાર
સોર્સ : gstv
છતરપુરમાં જટાશંકર ધામ ખાતે ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું છે. ધોધમાર વરસાદથી જટાશંકર ધામ આસપાસના જળસ્ત્રોતો ગાંડાતૂર બન્યા છે અને અનેક સ્થળોએ પાણીનો પ્રવાહ તેજ થયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. પ્રવાસીઓને નદી, નાળા અને વહેતા પાણીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદને કારણે પ્રવાસન સ્થળ પર પણ અસર જોવા મળી રહી છે. ઘટનાસ્થળે હાજર પ્રવાસી સુશીલ શિવહરે પરિસ્થિતિ અંગે માહિતી આપી અને ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિ વિશે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો.

