Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Morning bulletin /Heavy flood in Tibet-Nepal, Kailash Yatra: Isha Foundation devotees trapped,

VIDEO: MORNING BULLETIN / તિબેટ-નેપાળમાં પૂરમાં ભારે તારાજી, કૈલાશ યાત્રા: ઇશા ફાઉન્ડેશનના શ્રદ્ધાળુઓ ફસાયા, પીએમ મોદીએ નેપાળના પીએમ બાલેન શાહ સાથે વાત કરી

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

.તિબેટ-નેપાળમાં પૂરમાં ભારે તારાજી 

App Store

નેપાળના રસૂવામાં તિબેટથી આવેલા ભયાનક પૂરે ભારે તારાજી સર્જી છે. ટિમુરે બજાર સહિત અનેક વિસ્તારો તણાઈ ગયા છે. પૂરના કારણે ૧૧ હાઇડ્રો પાવર પ્લાન્ટ, ૪૦ રસ્તા, ૧૯ પુલ અને ૧૦થી વધુ બેંકો સંપૂર્ણપણે તબાહ થઈ ગઈ છે. આ હોનારતમાં ૧૦૫ ભારતીયો સહિત ૨૯૧ વિદેશી પ્રવાસીઓ ગુમ થયા છે. નેપાળ પૂર્ણ પગલે ઉત્તર પ્રદેશના સરહદી જિલ્લાઓ મહારાજગંજ અને કુશીનગરમાં  તકેદારી વધારી દેવામાં આવી છે.  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નેપાળની હોનારત પર ચિંતા વ્યક્ત કરી સ્થાનિક વહીવટીતંત્રને તમામ જરૂરી તૈયારીઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.

2.કૈલાશ યાત્રા: ઇશા ફાઉન્ડેશનના શ્રદ્ધાળુઓ ફસાયા

નેપાળ-ચીન સરહદે આવેલા પૂરમાં ગિરોંગ ખાતે ઇમિગ્રેશન સેન્ટર તણાઈ જતાં ઇશા ફાઉન્ડેશનના ૭૭ યાત્રીઓ ફસાયા છે. ત્યાં હાજર સદગુરુ પોતે બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે અને તંત્ર સાથે મળી રાહત કાર્ય ચાલુ છે.

3.  પીએમ મોદીએ નેપાળના પીએમ બાલેન શાહ સાથે વાત કરી

નેપાળમાં પૂરની ભયાનક હોનારત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના પીએમ બાલેન શાહ સાથે વાત કરી શોક વ્યક્ત કર્યો હતો. ભારતે આ મુશ્કેલ સમયમાં નેપાળને ઝડપથી તમામ માનવતાવાદી અને રાહત સહાય મોકલવાની ખાતરી આપી છે.

4. હરિયાણવી એક્ટર અંકિત બાલિયાનની હત્યા

ઉત્તર પ્રદેશના શામલીમાં જીમમાંથી બહાર નીકળતી વખતે હરિયાણવી એક્ટર અને યુટ્યુબર અંકિત બાલિયાનની ગોળી મારી હત્યા કરાઈ છે. 'ભરી કોર્ટમેં ગોલી મારેંગે' ગીતથી જાણીતા બનેલા અંકિતની હત્યા બાદ પોલીસ સીસીટીવી ફૂટેજથી આરોપીઓની શોધ ચલાવી રહી છે.

5.જામનગરમાં ખેડૂતોને વીજલાઈનનું જંગી વળતર

જામનગર જિલ્લામાં કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં નવી નીતિ હેઠળ માર્કેટ રેટ કમિટીએ ટ્રાન્સમિશન લાઇન માટે જંત્રી કરતાં ૩૦૦ થી ૬૦૦ ગણું વધુ વળતર નક્કી કર્યું છે. કાનવીરડીના ખેડૂતને હવે રૂ. ૪.૩૭ લાખના બદલે રૂ. ૨૪.૩૩ લાખ મળશે.

આજના રાશિફળ વિષે.

મેષ, મિથુન, સિંહ, તુલા અને કુંભ રાશિના જાતકો માટે આર્થિક લાભ, સફળતા અને ભાગ્યનો સાથ મળવાના ઉત્તમ યોગ છે; જ્યારે વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, ધન, મકર અને મીન રાશિના જાતકોએ સ્વાસ્થ્ય, નકામા ખર્ચ અને વાદવિવાદથી દૂર રહી સાવધાની રાખવી.

ચાલો હવે જાણીએ આજનું પંચાંગ...

૨૭ ઓગસ્ટના પંચાંગ મુજબ શ્રાવણ સુદ પૂર્ણિમા (રક્ષાબંધન) તિથિ અને શ્રવણ નક્ષત્રનો શુભ યોગ રહે છે. આ દિવસે કુંભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ રહેશે. 

હવે નજર કરીએ આજના ઇતિહાસ પર.. 'આજના દિવસે જ વિશ્વના પ્રથમ જેટ-સંચાલિત વિમાને જર્મનીથી તેની પ્રથમ ઉડાન ભરી.'
અને હવે, એક સુંદર વિચાર સાથે દિવસની સકારાત્મક શરૂઆત કરીએ.. "જે વ્યક્તિ પોતાના ભૂતકાળમાંથી શીખે છે, તે જ પોતાનું ભવિષ્ય શ્રેષ્ઠ બનાવી શકે છે."

ટોપિક્સ:GSTV NewsGujarati News