જગદીપ ધનખડને ઘર ખાલી કરવા નોટિસ: ઓફિસ સીલ, સોશિયલ મીડિયા ટીમ હટાવાઈ

સોર્સ : google
Jagdeep Dhankhar : દેશના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપનારા જગદીપ ધનખડને ઘર ખાલી કરવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે અને તેમના નિવાસસ્થાને આવેલી ઓફિસને પણ સીલ કરી દેવામાં આવી છે. આ સાથે, તેમની સોશિયલ મીડિયા ટીમને પણ દૂર કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, સોમવારે સાંજે જ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તેમના પદ પરથી આરોગ્યને લઈ રાજીનામું આપી દીધું હતું. એ દિવસે જ તેમને ઘર ખાલી કરવા અને પોતાનો સામાન પેક કરવાનો શરૂ કર્યો હતો. તેમના રાજીનામાના એક દિવસ બાદ મંગળવારે તેમનું રાજીનામું મંજૂર કરી લેવામાં આવ્યું હતું. જગદીપ ધનખડે અચાનક આપેલા રાજીનામાને લઈ રાજકીય ચર્ચા છે. તેમના રાજીનામા પછી વિપક્ષે સતત આરોપ મૂક્યો છે કે, સરકારના દબાણમાં આવી તેમને ઉપરાષ્ટ્રપતિ પદથી રાજીનામું આપવું પડયું છે.

